નર્મદાઃ સરદાર સરોવર નર્મદા બંધથી 12 કીમી દૂર ગરુડેશ્વર ખાતે 300 કરોડના ખર્ચે એક વિયર કમ કોઝવે બની રહ્યો છે. જેનું કામ ચાલુ છે ત્યારે આ ડેમને 31 મીટર ભરી જેમાં બોટિંગ શરૂ કરવા અને હરિદ્વારની જેમ નર્મદા ઘાટ પણ બનાવવામાં આવશે.
આ પ્રવસીઓ માટે મુખ્ય પ્રોજેક્ટ પર સરકાર હાલ કામ કરી રહી છે. જેના ભાગ રૂપે તાજેતરમાં 20 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી નર્મદા નદીમાં ભરવામાં આવ્યું હતું. પરંતુ પાણી સ્ટોરેજ અઠવાડિયું રહ્યું હતું. જેમાં કાંઠાની ખેતી ડૂબી ગઈ અને લાકડા પણ ડૂબ્યા હતા. જેને લઈને પાણી ગંદુ થયું સાથે નર્મદા કિનારાના આશ્રમોનું દુષિત પાણી પણ નર્મદા નદીમાં છોડાતું હોય છે. પાણી દુર્ગંધ મારતું હોય છે જેને લઇને સ્થાનિક કિનારે રહેતા લોકોની ફરિયાદો ઉઠી અને નર્મદા નિગમને રજૂઆત કરતા નર્મદા નિગમ દ્વારા પાણી છોડી દેવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારનો આ મુખ્ય પ્રોજેક્ટ પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડવા માટે નર્મદા ઘાટ બને. પ્રવાસીઓ સુરક્ષિત બોટિંગ કરી શકે વોટર બાઈક પેડલ બોટિંગ કરી શકે છે. પરંતુ હાલ આ પ્રોજેક્ટ સામે બે મોટી સમસ્યા છે. એક પાણી ભરવામાં આવે છે ત્યારે સ્ટોરેજ પાણી દુષિત બની જાય છે અને દુર્ગંધ મારે છે ત્યારે આવા દુષિત પાણીમાં બોટિંગ કેટલે અંશે થઇ શકશે?
બીજીબાજુ મોટા મોટા રોક શિલાઓ છે જેને તોડી ઉંડી બનાવવી પડશે ત્યારે આ કામ જેટલું વહેલું થાય તો જ આ પ્રોજેક્ટ થશે બાકી સરકારે બીજો વિચાર કરવો રહ્યો. હવે જોવાનું એ રહ્યું કે શું આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ જે બોટિંગ કરવાનું હતું એ શરૂ થાય છે કે એમ તે જોવાનું રહ્યું.