નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો આદિવાસ સમાજના ભાઈઓએ વિરોધ કર્યો છે. હરિયાણાના મુખ્યમંત્રી દ્વારા હરિયાણા ભવનના ખાતમુહર્તની ચર્ચા શરૂ કરાતા ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ મનોહરલાલના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને પોલીસે અંતમાં સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. મહત્વનું છે કે કેવડિયાના વિવિધ ભવનોમાં વિવાદનો દોર ચાલી રહ્યો છે. જેનો આક્રોશ ગ્રામજનોએ અહી વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે કેવડિયા કોલોનીમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ગયું છે અને જેના કારણે સરકાર હવે કેવડિયામાં દેશના 33 રાજ્યોના ભવનો અહીંયા બનાવવાનું આયોજન કર્યું છે અને દરેક રાજ્યોના અધિકારીઓ પણ અહીંયા જમીનો જોવા આવી રહ્યા છે જેના કારણે સરકારી વિભાગો દ્વારા જમીન માપણીઓનું કામ કરવામાં આવી રહ્યું છે. જેનો ગામ લોકોએ ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.
#Narmada કેવડિયા આદિવાસીઓ દ્વારા રાજકીય ભવનનો વિરોધ
વિરોધના પગલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ ખાત મુહુર્ત બાદ આદિવાસીઓ વિફર્યા
ગ્રામજનોએ પોલીસે પર કર્યો પથ્થરમારો પોલીસે ગ્રામજનો પર કર્યો લાઠીચાર્જ@GujaratPolicepic.twitter.com/Zz5rp8YSql
સતત છેલ્લા અઠવાડિયાથી આવું ચાલી રહ્યું છે. અત્યાર સુધી ગ્રામજનોએ 4 વાર જમીનમાપણી સર્વેવાળા અધિકારીઓને ધક્કે ચઢાવી ભગાડ્યા છે હાલ જે જગ્યાએ કેવડિયા ગામની જમીન પર હરિયાણા ભવન બનવાનું છે.
આજે હરિયાણાના મુખ્યમંત્રી અહીં આવી આ ભવનનું ખાતમહૂર્ત કરવા પણ આવ્યા હતા. જો કે આ જગ્યાએ 6 ગામના આદિવાસીઓએ બેસી જઈ ભજન કીર્તન કરી હરિયાણા સરકાર પાછી જાવ ના નારા લગાવી રહ્યા છે અને ધરણા પ્રદર્શન કર્યા હતા.
આપને જણાવી દઇએ કે હવે આ જમીન સંપાદન અંગેનો મામલો દિવસે દિવસે ગંભીર બનતો જાય છે. ગ્રામજનોનું કહેવું છે કે અહીં અમે કોઈપણ ભવન બનાવવા દઈશું નહિં. તંત્રના કોઈપણ અધિકારી આ મામલે કંઈપણ બોલવા તૈયાર નથી. તેમજ ગ્રામજનો ને આપેલા વાયદા મુજબ સંપાદિત જમીનોના રેકર્ડ પણ બતાવતા નથી.