આમતો શિવરાત્રીએ શિવની પુજા થતી હોય છે,પરંતુ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકામા આવેલ દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિની પુજા થાય છે. અહીં પાંડોરી માતા ના 5 દિવસ ચાલનારા મેળામા ગુજરાત સહિત ચાર રાજયો માંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુએા આવે છે. બાધા અને માનતા પુરી કરે છે.
પાંડોરી માતા નો ચાર દિવસનો મેળો ભરાય છે
1983થી વ્યવ્સ્થાના ભાગ રૂપે એક ટ્રસ્ટ બનાવાયુ
કુળ દેવી પાંડોરી માતાને નમન કરે છે માનતા કે બાધાઆખડી પુરી કરે
શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહી નર્મદા જીલ્લામા મહાશિવરાત્રીએ શિવ નહીં પણ શક્તિ ની આરાધના સમો પાંડોરી માતા નો ચાર દિવસનો મેળો ભરાય છે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદીવાસીઓ આવે છે. કુળ દેવી પાંડોરી માતાને નમન કરે છે માનતા કે બાધાઆખડી પુરી કરે છે.
1983થી વ્યવ્સ્થાના ભાગ રૂપે એક ટ્રસ્ટ બનાવાયુ
ઇ.સ.પુર્વે સન 1085 મા અહીં સાગબારા ના મેવાસી સ્ટેટ ના રાજવી પરિવાર દ્રારા આ મંદિર બનાવી પુજન કર્યા બાદ આજ સુધી રાજવી પરીવાર દ્રારાજ અહીં શિવરાત્રીએ પુજન કરાય છે. પરંતુ સન 1983થી વ્યવ્સ્થાના ભાગ રૂપે એક ટ્રસ્ટ બનાવાયુ છે.
આદિવાસીએાની કુળદેવી મા પાંડોરીને ત્યાં આવે છે ભક્તો
ભારત ભરમા આઠ ટકા વસ્તી આદિવાસી ની છે તેમાંય ગુજરાતમા વસતા 15 ટકા તથા ભારત ભરના આદિવાસીએાની કુળદેવી મા પાંડોરી હોવાથી પાંચ દિવસ ચાલનારા આ મેળામા આદીવાસીએા ની સંખ્યા અગણીત હોય છે.
નૈવેઘ મા આ લોકો નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમા ધરાવાય છે પ્રસાદ
સ્વયં શીસ્તમા માનનારા આ લોકો 5 થી 7કલાક લાઇન માઉભા રહીને પણ માતાના દર્શન કરે છે. નૈવેઘ મા આ લોકો નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમા નવુ ઉગેલુ અનાજ, બકરો, મરઘીઅને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તે લઇને પરંપરાગત પુજન કરે છે અને પ્રસાદરૂપે મળેલ ચીજ ને બારેમાસ અનાજના કોઠારમા સાચવી રાખે છે.