ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અને ધરતી માટે જાણે લીલીછમ ચાદર ઓઢી દીધી હોય તેવું દ્રશ્ય તો સર્જાય છે
નર્મદા જિલ્લાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
ઝરવાણી ધોધમાં નવા નીર આવતા અદભૂત નજારો
ઝરવાણી ધોધના સૌંદર્યની મજા માણી રહ્યા છે પ્રવાસીઓ
રાજ્યમાં હાલ સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે અને ધરતી માટે જાણે લીલીછમ ચાદર ઓઢી દીધી હોય તેવું દ્રશ્ય તો સર્જાય છે. આ સાથે નદી અને નાળા છલકાવવાથી સૌંદર્યમાં ઓર વધારો થાય છે. નર્મદા જિલ્લામાં આવેલ કુદરતી ધોધ ઝરવાણી જિલ્લાની ઓળખ પણ બન્યો છે. હાલ વરસાદી વાતાવરણને કારણે ઝરવાણી ધોધ પાસે વાતાવરણ લીલુંછમ બન્યું છે.
ગુજરાતનું કાશ્મીર નર્મદા જિલ્લો
ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લો. જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તારો આવેલા છે. સાતપુડા અને વિધ્યાનચલની ગિરીમાળાઓ આ ચોમાસાની ઋતુ આ સોળે કળાએ ખીલી ઉઠે છે અને જેને કારણે જ ગુજરાતના કાશ્મીરનું ઉપનામ નર્મદા જિલ્લાને મળ્યું છે. નર્મદા જિલ્લામાં આવેલા ઝરવાની ધોધ તો ખુબજ પ્રખ્યાત છે. પરંતુ ખુબ જ સૌંદર્ય ઠરાવતા અન્ય ધોધ પણ છે. સાતપૂળાની ગીરીકંદરાઓ ખલખળ વહેતી નદી ઝરણા અને વન આચ્છદીત કુદરતી પ્રકુતિ ને કારણે નર્મદા જીલ્લા ને મીની કાશ્મીર નું બિરૂદ મળ્યું છે.
પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર ઝરવાણી ધોધ
નર્મદા જીલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય ખુબજ છે અને તેમાંય ચોમાસાની સીઝનમાં નર્મદા જીલ્લાનું સૌન્દર્ય અનેક ગણું વધી જાય છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે. ખાસ ચોમાસાની મોસમમાં હાલ SOUની બાજુમાં આવેલ ઝરવાણી ધોધ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ને કારણે નર્મદા જીલ્લ્લો પ્રવાસન ધામ તરીકે પ્રખ્યાત થયો છે. વળી ચોમાસામાં ઓવરફ્લો નર્મદા ડેમ જોવો એ પ્રવાસીઓ માટે એક આકર્ષણ કહેવાય છે. 860 મિટરની લંબાઈ માંથી પડતો પાણીનો ધોધ હોય તેવું મનોરમ્ય દ્રશ્ય સર્જાય છે. ત્યારે આ ધોધ જોવા માટે માત્ર ચોમાસાની સીઝનમાં 4 થી 5 લાખ પ્રવાસીઓ આવે છે.
ઝરવાણી ધોધના ઝરણાંમાં નાહવાની મજા જ અલગ
ગુજરાતભરમાં પ્રવાસીઓ વોટરપાર્કમાં પોતાના બાળકોને લઇ જતા હોય છે. પરંતુ નર્મદા જિલ્લાના ઘનઘોર સાતપુડાની વનરાજી વચ્ચે વહેતા ઝરવાણી ધોધના નજારાના ખડખડ વહેતા ઝરણાંમાં નાહવાની મજા કાંઈક અલગ હોવાથી પ્રવાસીઓ નર્મદા જિલ્લામાં ફરવાનું પસંદ કરતા હોય છે. વળી અહીંયા ખાસ જંગલ વિસ્તારમાં નદી નાળા આવેલા છે. જે પણ કુદરતી સૌંદર્યમાં અનેક ગણો વધારો કરે છે.