નર્મદાના સેલંબા ગામમાં વાછરડાને મારી નાખવાનો મામલો
વાછરડાને પથ્થર મારતા વ્યક્તિના CCTV આવ્યા સામે
નાના દીકરાને અડફેટે લેતા વ્યક્તિએ પિત્તો ગુમાવ્યો
અબોલ વાછરડા પર આવી ક્રુરતા કેમ?
આ ઘટના તમને હચમચાવી મુકશે...વીડિયોના દ્રશ્યો તમને વિચલિત કરી નાખશે. નર્મદાના સેલંબા ગામમાં ઘટનાએ સમગ્ર ગુજરાતના પશુપ્રેમીઓને ચોટ પહોંચાડી છે. સેલંબા ગામમાં વાછરડાને પથ્થરના એક બાદ એક ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી ઢસડીને નાખવા જતા વ્યક્તિના CCTV સામે આવ્યા છે.
વાછરડાનો વાંક એટલો જ હતો કે....
નર્મદાના સેલંબા ગામમાં ઘટેલા આ પિશાચી કૃત્યની જો વાત કરવામાં આવે તો.. વાછરડાનો વાંક એટલો જ હતો કે તેને CCTV દેખાતા વ્યક્તિના દીકરાને અડફેટે લીધો હતો. નાના દીકરાને અડફેટે લેતા વ્યક્તિએ પિત્તો ગુમાવી આ પિશાચી કૃત્યને અંજામ આપ્યો. અને અબોલ વાછરડાને હાંકી મૂકવાની જગ્યાએ તેના પર એક બાદ એક મોટા પથ્થરના ઘા ઝીકી તડપાવી તડપાવી વાછરડાને મોતને ઘાટ ઉતારી દીધો. વાછરડાનો વાંક એટલો જ હતો કે તે અબોલ હતો, નાના વાછરડાનો વાંક એટલો જ હતો કે તેને નાના બાળકને અડફેટે લીધો હતો, વાછરડાનો વાંક એટલો જ હતો કે તે તેનાથી થયેલી ભૂલથી અજાણ હતો.. પશુ તો અબોલ હતું પણ તેને માર મારનાર વ્યક્તિ બધુ સમજી પણ શકતો હતો અને વાછરડાના માલિકને ફરિયાદ પણ કરી શકતો હતો. પણ તેને તે નકરતાં ગુસ્સામાં આવી અબોલના પ્રાણ છીનવી લીધા. વાંછરડાને એવી સજા આપી કે તે હવે ન તો કોઈને પોતાનું દર્દ કહી શકે છે. ન તો તે હવે આ મતલબી દુનિયામાં છે.
ઘાતકી વ્યક્તિના CCTV સામે આવ્યા
વાછરડાને એ હદ સુધી તે ગુસ્સામાં મારતો જ રહ્યો મારતો જ રહ્યો..અંતે અબોલનું મોત થતાં તેને જાતે જ ઢસડીને લઈ જતા CCTV સામે આવતા વ્યક્તિના આ કૃત્ય પરથી પડદો ઉઠ્યો. સમગ્ર ઘટનાના CCTV બહાર આવ્યા બાદ વાછરડાના માલિકે સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અને CCTVમાં માર મારતા વ્યક્તિ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે..ત્યારે પોલીસ પણ તપાસ કરી પશુ ઘાતકી પણાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
એ સવાલ જે દરેક પશુપ્રેમીને થવા જરૂરી છે
CCTV બહાર આવતા ઘાતકી વ્યક્તિના પાપી ખેલનો પર્દાફાશ થયો છે. ત્યારે આવા પિશાચી કૃત્ય સામે સવાલ થવા જરૂરી છે તેને સજા આપવી જરૂરી છે. પોલીસ પાસે CCTV જેવા વીડિયો સબૂત છે તો તે આરોપીને પકડવા કોની રાહ જોઈ રહી છે, કયા છે એ પશુપ્રેમી સંગઠનના આગેવાનો જે આવી ઘાતકી ઘટના બાદ પણ ચૂપ બેઠા છે, પશુ પર આવો અત્યાચાર કયા સુધી સાંખી લેવાશે. કોઈએ તો આ નાના વાછરડા માટે લડવું પડશે અને તેને ન્યાય આપવો પડશે. પોલીસ અને નર્મદા જિલ્લા તંત્ર આ ઘટનાને સામાન્ય ગણી અવગણી કેમ રહ્યું છે. આવા લોકોને કડકમાં કડક સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જરૂરી છે નહિતર આવા તો કેટલાય અબોલ હશે જે રોજ આવી જ ક્રૂરતાના ભોગે ચડયા હશે.