મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદ અને ઈન્દિરાસાગર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 2.66 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. જેથી નર્મદા ડેમની સપાટી 134.36 મીટરે પહોંચી છે.
ભારે માત્રમાં પાણીની આવક થતાં ડેમના 10 દરવાજા 3.1 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે. તો નર્મદા નદીમાં પણ 2.36 લાખ ક્યુસેક પાણી ડેમમાંથી છોડાઇ રહ્યું છે. જેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.
તો કેવડિયાનો ગોરા બ્રિજ પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. ડેમમાં હાલ 4912 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ RBPHના તમામ પાવર હાઉસ અને CHPHના 3 પાવરહાઉસ ચાલુ કરાયા છે.