માર્ચ માહિનામાં 90 હજાર ક્યુસેક પાણી મહીસિંચાઈ વિભાગને આપ્યું. જ્યારે 24 હજાર ક્યુસેક પાણી સુજલામ સુફલામ યોજનાને અપાયુ
નર્મદા ડેમમાં છોડાયુ પાણી
1500 ક્યુસેક પાણી છોડાયુ
ખેડૂતો દ્વારા CMને કરાઈ હતી રજૂઆત
ગુજરાત ભરમાં ખેડૂતો દ્વારા સિંચાઈ ના પાણી ની માગ ઉઠી છે અને નર્મદા ડેમ નું પાણી ની માગ કરી રહ્યા છે.જોકે સરકારે સ્વીકાર્યું છે કે પાણી નર્મદા બંધમાં ઓછું છે.એટલે ઉનાળુ પાક જો નર્મદા આધારિત હોય તો ના વાવણી કરે માત્ર પશુ પાલન માટે ઘાસચારો.જ વાવે એવી સૂચના સાથે નર્મદા.કેનાલમાં 1500 ક્યુસેક પાણી રોજનું વધારવાની શરૂઆત.કરી.છે.ત્યારે ખેડૂતો માં કહી ખુશી કહી ગમ નો માહોલ સર્જાયો છે.આ પાણીનો લાભ ઉત્તર ગુજરાતના લોકોને મળશે. કારણ કે ત્યાં હાલ પશુમાટે ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.
આજથી 1500 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાવાયુ
ઉપરવાસ અને મધ્ય પ્રદેશના ઈન્દિરા સાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. નર્મદા ડેમમાં 17020 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. જેને કારણે નર્મદાની કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે હાલ રોજનું 1500 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે તો નર્મદાની મેઈન કેનાલમાં 6270 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી ખેડૂતોને ઘાસચારા વાવેતર માટે રાહત મળી શકશે. આ સાથે તંત્ર દ્વારા જણાવાયુ છે કે, નર્મદા ડેમમાં 2931 મિલિયન ક્યુબિક મીટર લાઈવ પાણીનો જથ્થો હોવાથી નર્મદા ડેમથી 1 વર્ષ સુધી ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને વપરાશ માટે પાણી આપવા સમક્ષ છે.
મધ્ય ગુજરાતમાં 7 જિલ્લામાં અપાતું પાણી બંધ કરાયું
ખેડા, આણંદ, મહીસાગર સહિત નવ જિલ્લા માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. તંત્ર દ્વારા કડાણા ડેમમાંથી મે મહિનાથી 7 જિલ્લાઓને અપાતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે, મધ્યગુજરાતના 7 જિલ્લાઓને અપાતું 800 ક્યુસેક પાણી બંધ કરાવામાં આવ્યું છે.
કડાણા જળાશયમાં હાલ 50 ટકા જ પાણીનો જથ્થો હયાત
ઉલ્લેખનીય છે કે, કડાણા જળાશયમાં હાલ 50 ટકા પાણી જથ્થો હયાત છે. એટલે કે, કડાણા જળાશયની સપાટી હાલ ઘટીને 397.5 ફૂટ થઈ ગઈ છે. મહત્વનું છે કે, કડાણા પર આધાર રાખતાં વણાંકબોરી ડેમનું હાલ લેવલ 219 ફૂટ છે. જેને લઈને કડાણાથી વણાંકબોરી ડેમમાં પાણી બંધ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જ્યારે પાણીની ન્યૂનતમ સપાટી 373 ફૂટે પહોંચશે ત્યારે પાણી મળવું મુશ્કેલ થઈ જશે
ગુજરાત રાજ્ય માટે મોટું જળસંકટ ઊભું થાય તેવા એંધાણ
ઉલ્લેખનીય છે કે, માર્ચ માહિનામાં 90 હજાર ક્યુસેક પાણી મહીસિંચાઈ વિભાગને આપ્યું હતું. જ્યારે 24 હજાર ક્યુસેક પાણી સુજલામ સુફલામ યોજનાને અપાયું હતું. આમ આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકરાળ બને તેવી સંભાવના દેખાતા તંત્ર દ્વારા કડાણા ડેમમાંથઈ મે મહિનાથી 7 જિલ્લાઓને અપાતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે, મધ્યગુજરાતના 7 જિલ્લાઓને અપાતું 800 ક્યુસેક પાણી બંધ કરાવામાં આવ્યું છે