ગુજરાતમાં હાલ ચોમાસાની ઋતુને લઇને સચરાચર મેઘમહેર થઇ રહી છે. જેને લઇને રાજ્યના તમામ જળાશયોની જળ સપાટીમાં વધારો થવા પામ્યો છે. તેવામાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 135.11 મીટર પહોચી છે. નોંધનિય છે કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેની સરખામણીએ હાલ 135.11 મીટર પાણી છે. વધુમાં હાલ સરદાર સરોવર ડેમમાં 2,13,535 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. જેને લઈને ડેમના 23 દરવાજા 0.50 મીટર ખોલીને એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનથી 44,214 ક્યુસેક્સ પાણી છોડાયુ છે. જ્યારે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી 1,50,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવશે. જેને લઈને ખેડૂતોને હવે સિંચાઇના પાણીની પાણીનો પ્રશ્ન હલ થઇ શકશે.
23 દરવાજા 0.50 મીટર ખોલીને એક લાખ ક્યુસેક પાણી છોડાયુ
નોંધનીય છે કે, હાલ અંદાજે 20 હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. આથી નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર પર પહોંચી છે. આ ઉપરાંત ડેમમાંથી પાણી છોડાતા નાંદોદ, તિલકવાડા, વડોદરા, ભરૂચ સહિતના કાંઠાના વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે.
4 કરોડની કિંમતની વીજળીનું ઉત્પાદન
મહત્વનું છે કે 25 દિવસથી સરદાર સરોવર નર્મદા ડેમ જળ-વિદ્યુત મથક દ્વારા સરેરાશ રૂ. 4 કરોડની કિંમતની વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. વીજ ઉત્પાદન શરૂ કરાયું તે દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટર હતી. તેમાં હાલ 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.