નર્મદા: મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આજે એક મહિનો પૂર્ણ થતા સીએમ રૂપાણી આજે કેવડિયાની મુલાકાત લેશે.
આ દરમિયાન તેઓ SVPRETના અધિકારીઓ CEO અને વહીવટી તંત્ર સાથે બેઠક કરશે. પ્રવાસીઓને પડી રહેલી મુશ્કેલીઓને નિવારવા સુવિધાઓ વિકસાવવા મુદ્દે પણ ચર્ચા થશે. 20 થી 22 ડિસેમ્બરે યોજાનાર ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ સંદર્ભે પણ ચર્ચા થશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની શુ છે ખાસિયત
ન્યૂયોર્કના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઉંચાઈ પણ માત્ર 93 મીટર જ છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બે ગણી મોટી છે. મહત્વનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઊંચી વિશ્વમાં એકપણ પ્રતિમા નથી. ચીનના પ્રખ્યાત વેરોકાના બુદ્ધની મૂર્તિ પણ 128 મીટરની જ છે. જ્યારે હૈદરાબાદ સ્થિત સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ઉંચાઈ 65.8 મીટર છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે સ્થાન પર બનાવાઈ છે. તે અંગે જો વાત કરવામાં આવે તો. માં નર્મદા કિનારે 20 હજાર સ્ક્વેર મીટર જગ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
CM @vijayrupanibjp આજે #StatueOfUnity નો એક મહિનો પૂર્ણ થતાં લેશે મુલાકાત SVPRETના અધિકારીઓ CEO વહીવટીતંત્ર સાથે યોજશે બેઠક પ્રવાસીઓની મુશ્કેલીઓ નિવારવા સુવિધાઓ વિકસાવવા મુદ્દે કરશે ચર્ચા 20 થી 22 ડિસેમ્બરે યોજાનાર ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ સંદર્ભે ચર્ચા કરશે pic.twitter.com/TXbVixS9q2
જ્યારે પ્રતિમાની આજુબાજુ 12 સ્ક્વેર કિલોમીટર જગ્યામાં તળાવ બનાવવામાં આવ્યું છે. પ્રતિમાના નિર્માણ માટે ભારતના 7 લાખ ગામળાઓની પવિત્ર માટી મગાવવમાં આવી હતી.