બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:26 PM, 11 June 2024
નારિયેળનો ઉપયોગ પૂજા-પાઠ અને શુભ કાર્યોમાં કરવામાં આવે છે. નારિયેળમાં ત્રિદેવોનો વાસ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં નારિયેળ સાથે સંબંધિત ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચમત્કારી ઉપાયો દ્વારા વ્યક્તિને જીવનની ઘણી મુશ્કેલીઓથી છુટકારો મળી શકે છે. આવો જાણીએ નારિયેળના કયા કયા ઉપાય જાતક માટે ફળદાયી સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
નારિયેળના ઉપાય
ADVERTISEMENT
બિઝનેસમાં સમસ્યા દૂર કરવા
જો તમને બિઝનેસમાં કોઈ સમસ્યા આવી રહી છે તો ગુરૂવારના દિવસે પીળા કપડામાં નારિયેળને લપેટીલો અને તેના પર જનેઉ રાખીને શ્રી હરિને અર્પિત કરો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી વ્યવસાયમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.
રોગ દૂર કરવા
આ ઉપરાંત રોગને દૂર કરવા માટે નારિયેળનો ઉપાય વધારે લાભકારી સાબિત થઈ શકે છે. નારિયેળને મંગળવાર કે શનિવારે રોગીના ઉપરથી 21 વખત વારીને કોઈ જગ્યા પર મુકી દો. આમ કરવાથી રોગ દૂર થાય છે.
સંકટોથી છૂટકારા માટે
જીવનમાં આવનાર સંકટોથી છુટકારો મળવવા માટે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો અને તેમને લાલ ચોલા ચડાવો. તેનાથી દરેક પ્રકારના સંકટ અને રોગ દૂર થશે.
વધુ વાંચો: 'ટપુ'નું ટીવી પર થશે કમબેક, હવે આ શોમાં જોવા મળી કે છે ભવ્ય ગાંધી
આર્થિક તંગી દૂર કરવા
આર્થિક તંગી દૂર કરવા માટે શુક્રવારે લાલ વસ્ત્ર ધારણ કરી માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરો અને પ્રિય વલ્તુનો ભોગ લગાવો. તેના બાદ નારિયેળને લાલ કપડામાં બાંધીને મંદિરમાં મુકી દો. માનવામાં આવે છે કે તેનાથી આર્થિક તંગી દૂર થાય છે અને ધન લાભનો યોગ બની રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT