જો તમારા બનતા કામ અટકી રહ્યાં છે તો નારિયેળનો ઉપાય કરી શકો છો. માન્યતા છે કે નારિયેળમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. એવામાં નારિયેળનો ઉપાય કરવાથી બધી અડચણો પળભરમાં દૂર થાય છે.
શું તમારા ધારેલા કામ થતા નથી?
નારિયેળનો આ ઉપાય કરવાથી તમામ અડચણો થશે દૂર
નારિયેળમાં હોય છે માં લક્ષ્મીનો વાસ
નારિયેળનો ઉપાય કરીને તમારા ભાગ્યને ચમકાવી શકો છો
ભારતીય સંસ્કૃતિમાં નારિયેળને એક પવિત્ર અને શુભ ફળ માનવામાં આવ્યું છે. આ જ કારણ છે કે લગ્ન, હવન સહિત દરેક શુભ કાર્યમાં નારિયેળનો અવશ્ય સમાવેશ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે નારિયેળમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. તેથી જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્ય માટે નારિયેળને ઘરે લઇને આવીએ છીએ તો તેની સાથે માં લક્ષ્મીનું પણ ઘરમાં આગમન થાય છે. આવો જાણીએ કે નારિયેળનો ઉપાય કરીને તમે કેવીરીતે પોતાના ભાગ્યને ચમકાવી શકો છો.
આર્થિક સમસ્યાઓમાંથી મળી જાય છે મુક્તિ
વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ અને ગૃહ કલેશનો સામનો કરી રહ્યાં છો તો તમે નારિયેળનો ઉપાય કરી શકો છો. જેના માટે તમે પાણીવાળું નારિયેળ ઘરે લઇને આવો. ત્યારબાદ આ નારિયેળને 21 વખત તમારા પરથી ઉતારી દો. પછી આ નારિયેળને કોઈ દેવસ્થાન અથવા મંદિરના હવનકુંડમાં જઇને બાળી દો. એક મહિના સુધી મંગળવાર અને શનિવારે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં પરિવર્તન દેખાશે.
નોકરી-બિઝનેસની ચિંતા થાય છે દૂર
જો તમે બિઝનેસ અને નોકરીને લઇને પરેશાન છો તો પણ નારિયેળનો ઉપાય તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે. જો તમારા ઘરની આજુબાજુ જગ્યા છે તો તમે નારિયેળનુ વૃક્ષ ઉગાડો. માનવામાં આવે છે કે આમ કરવાથી માં લક્ષ્મીનો તમારા ઘરમાં કાયમી નિવાસ થાય છે. આમ કરવાથી તમારા પરિવારની આર્થિક સ્થિતિ સુધરે છે અને દેવુ પણ સમાપ્ત થાય છે. ધ્યાન રાખો કે આ વૃક્ષ ઘરની પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં જ હોવુ જોઈએ.
બિમારી અને તણાવમાંથી મળે છે રાહત
માનવામાં આવે છે કે જો તમારા ઘરમાંથી બિમારી નિકળી રહી નથી. દરેક વખતે માનસિક તણાવમાંથી પસાર થઇ રહ્યાં છો. બનતા કામ બગડી રહ્યાં છે તો તમારા માટે નારિયેળનો ઉપાય કરવો જરૂરી છે. તમે ઘરમાં હવન કરાવો અને ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની સ્તુતિ કરો.