અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માંટેની ચર્ચા બાબતે બોલાવાયેલી બેઠકમાં ખોડલધામનાં નરેશ પટેલ દ્વારા હાલમાં પાટીદાર અનામત આંદોલનનું કોઈ અસ્તિત્વ નહીં હોવાની વાત કરીને સમગ્ર અનામત આંદોલનની સમાપ્તિની જાહેરાત સાથે એક છ સભ્યોની કમિટીની રચના કરવાની જાહેરાત કરવામાં આવી.
અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માંટેની ચર્ચા બાબતે બોલાવાયેલી બેઠકમાં ખોડલધામનાં નરેશ પટેલ દ્વારા હાલમાં પાટીદાર અનામત આંદોલનનું કોઈ અસ્તિત્વ નહીં હોવાની વાત કરીને સમગ્ર અનામત આંદોલનની સમાપ્તિની જાહેરાત સાથે એક છ સભ્યોની કમિટીની રચના કરવાની જાહેરાત કરવામાં આવી. 25 ઓગષ્ટ 2015નાં રોજ અમદાવાદનાં GMDC ગ્રાઉન્ડમાં રાજ્યભરનાં પાટીદારોને એકઠા કરીને હાર્દિક પટેલે હુંકાર કરી પાટીદાર સમાજ માટે અનામત આંદોલનની માંગ સાથે એક આંદોલન શરૂ કર્યું હતું.
જે અનામત આંદોલનની આગમાં રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુખ્યમંત્રી તરીકેની ખુરશીનો ભોગ લેવાયો હોવાની ચર્ચા આજ દિન સુધી સમગ્ર રાજ્યમાં ચર્ચાઈ રહી છે તે આખુંય આંદોલન આજે રાજકોટમાં ખોડલધામનાં નરેશ પટેલનાં એક વાક્ય સાથે સમાપ્ત થઈ ગયું છે અને નરેશ પટેલની આ જાહેરાત સાથે પાટીદાર અનામત આંદોલનથી "નેતા" બનીને હાલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હાર્દિક પટેલ દ્વારા પણ આખીય વાતને ટેકો અપાયો હોય તેમ જોવાં મળ્યું હતું.
નરેશ પટેલે શું કહ્યું?
રાજકોટમાં મળેલી બેઠકમાં પાટીદાર સમાજનાં અગ્રણીઓ સાથે ખોડલધામનાં નરેશ પટેલ પણ હાજર રહયાં હતાં અને પાટીદાર આંદોલન વખતે તમામ પાટીદાર યુવાનો સામે કરાયેલા પોલીસ કેસ તેમજ અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ બાબતે સરકારને મળીને ચર્ચા કરવામાં આવશે તેમજ હાલ "પાટીદાર અનામત આંદોલનનું કોઈ અસ્તિત્વ ન હોવાથી આંદોલન પૂર્ણ થયું સમજી શકાય" અને સરકાર સાથે પાટીદાર સમાજને અન્યાય બાબતે ચર્ચા કરવામાં આવશે...!
હાર્દિક પટેલનું નિવેદન શું હતું..?
પાટીદાર અનામત આંદોલનની સમાપ્તિની જાહેરાત અને નરેશ પટેલનાં આ પ્રકારનાં આંદોલન સમાપ્તિનાં એલાન બાદ તુરંત પાટીદાર અનામત આંદોલનથી જાણીતાં બનેલાં હાર્દિક પટેલની સહમતી સામે આવી હતી અને હવે "આંદોલન કરવું એ સ્વાર્થ કહેવાશે અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા 10% શૈક્ષણિક અનામત આપ્યાં બાદ આંદોલન કરી શકાય નહીં. પાટીદાર આંદોલનનું હવે કોઈ અસ્તિત્વ નથી. આંદોલન સમાજનાં હિત માટે હતું. તમામ કેસ પાછા ખેંચાય તેનાં આયોજન થશે. 10 ટકા અનામત આપ્યાં બાદ આંદોલન ન થાય. પાટીદાર અનામત આંદોલન પૂર્ણ થયું. હવે આંદોલન કરીએ તો રાજનીતિ કહેવાશે."