બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Naresh Patel's statement on Kajal Hindustani
Ajit Jadeja
Last Updated: 11:44 AM, 31 March 2024
રાજકોટમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે રાજકીય ઘમાસાણ અંગે પોતાને દૂર રાખતા બોલવાનુ ટાળ્યુ હતુ. ક્ષત્રીય સમાજ સામે થયેલા નિવેદનથી વિરોધ ચાલી રહ્યો છે ત્યારે નરેશ પટેલ સેફ સાઇડ ચાલી રહ્યા છે.જોકે તેજાબી ભાષણ આપનાર કાજલ હિન્દુસ્તાની ના નિવેદનને તેમણે વખોડ્યુ હતુ. અને કાજલે માફી માગવી જોઇએ તેમ કહ્યુ હતુ. જ્યારે ભાજપ નેતા રૂપાલાએ કરેલા બફાટ મામલે નરેશ પટેલે રાજકીય કોઇ નિવેદન આપવાનું ટાળ્યુ હતું. તેમણે કહ્યુ હતું કે કોઇપણ રાજકિય બાબતમાં હું કોમેન્ટ નહીં આપું. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને લઇ કહ્યુ હતુ કે બહેને જે નિવેદન આપ્યું તેને હું વખોડું છું.
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન પર વિરોધ સતત વધતો જાય છે. ક્ષત્રિય મહિલાઓએ પરષોતમ રૂપાલાના પૂતળાનું દહન કર્યુ હતુ. ત્યારે રાજપૂત અગ્રણીઓએ કહ્યું કે પરષોતમ રુપાલાનું ફોર્મ ભરાશે તો આક્રમક કાર્યક્રમ આપીશું. તેમણે કીધું તેમની બસ એક જ માંગ છે કે પરષોતમ રૂપાલાની ટિકીટ કેન્સલ કરવામાં આવે. બે વાર માફી માગી હોવા છતાં રાજપૂતો પોતાના સ્વમાન પર અડગ છે. રૂપાલાએ રાજપૂતોના સ્વમાનને ઠેસ પહોચાડી હોવાથી કોઇપણ ભોગે રાજપૂતો પાછી પાની કરવા માંગતા નથી. અને યુદ્ધ એજ કલ્યાણ સાથે લડત શરૂ કરી છે. પરશોત્તમ રૂપાલાએ કરેલા બફાટ બાદ સૌરાષ્ટ્ર નહી પરંતુ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો રોષે ભરાયા છે. મહેસાણા જિલ્લામાં પણ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સહિત ક્ષત્રિય રાજપૂત સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવ્યુ હતું. બનાસકાંઠા જિલ્લામાં પણ રાજપૂતો દ્વારા રૂપાલાના નિવેદનને વખોડવામાં આવ્યુ છે.
કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, ગોંડલમાં જે બેઠક મળી હતી. તે રાજકીય લેવલે મળી હતી. અને અમારુ સ્ટેન્ડ એક જ રહેશે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ કરો. અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું. કેમ કે અમને એવી આશા હતી કે જયરાજભાઈ બેઠક કરે છે તો તેઓ ક્ષત્રિય સમાજનાં દીકરા છે તો બેઠકમાં કંઈકને કંઈક અમારી ફેવરમાં આવશે. અમારી એક જ માંગ છે કે ભાજપ દ્વારા ગમે તે સમાજને ટિકીટ આપવામાં આવે. અમે ક્યાં એવું કહીએ છીએ કે ક્ષત્રિય સમાજને ટિકીટ આપો. ક્ષત્રિય સમાજની એક માંગ પુરી કરી નથી શકતા. રુપાલાભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે બફાટ કર્યો તે કેટલો યોગ્ય છે. અમે માફી નહી સજા જ આપીશું. અને સજાએ છે કે રુપાલાભાઈની ટિકીટ રદ્દ થાય.
ગઈકાલે ગોંડલના શેમળા ખાતે જયરાજસિંહના ફાર્મહાઉસ ગણેશગઢ ખાતે તેમની આગેવાનીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ હાજર હતા. જેમાં ભાજપના ક્ષત્રિય સમુદાયના અનેક આગેવાનો પણ હતા . પુરુષોત્તમ રૂપાલા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ફરી એક વખત જાહેરમાં સમાજની બે હાથ જોડી માફી માગી હતી. આ પછી તમામ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે માફ કરવું એ આપણો ક્ષત્રિય સમાજનો ધર્મ છે, માટે આજે આપણે આ વિવાદને પૂર્ણ કરવાનો છે. જોકે આજે પણ હજુ વિરોધ અને વિવાદ ક્ષત્રિય સમાજમાં યથાવત્ જોવા મળી રહ્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.