પાટીદાર અગ્રણી નરેશ પટેલને વિવિધ પક્ષો દ્વારા પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ મળી રહ્યાં છે.તેની વચ્ચે નરેશ પટેલે મોટું નિવેદન આપતાં કહ્યું મે હજુ કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય નથી કર્યો
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને પાટીદાર અગ્રણી નરેશ પટેલને વિવિઝ પક્ષો દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ નરેશ પટેલને પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ આપી દીધું છે. આ બધાની વચ્ચે આજે નરેશ પટેલ એક મોટું નિવેદન આપ્યું હતું કે, મે હજુ સુધી કોઈ પાર્ટી સાથે જોડાવવાનો નિર્ણય નથી કર્યો. હું સમાજને પૂછીને આ નિર્ણય લઈશ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપના લોકો આવશે તો જોઈશુ..
મે હજુ કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય નથી કર્યોઃ નરેશ પટેલ
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલે તાજેતરમાં દિલ્હીની ઉડતી મુલાકાત લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવા માટેની પૂર્વભૂમિકા લગભગ તૈયાર હોય તેવું લાગી રહ્યું છે, જેથી હોળી પછી કઈંક નવા-જૂની થવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. તેની વચ્ચે આજે નરેશ પટેલે જણાવ્યું કે, ભાજપના લોકો આવશે તેવું જોઈશું તેમ જણાવતાં ગુજરાતનું રાજકારણમાં પુનઃ ગરમાવો આવી ગયો છે.