રાજકારણમાં હલચલ તેજ, નરેશ પટેલ હજુ અવઢવમાં
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ખૂબ હલચલ તેજ છે એવામાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દિલ્હી જતાં આખા રાજ્યમાં રાજકારણ ગરમાયું હતું ત્યારે રાજકોટ એરપોર્ટ પર નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. ઘણા દિવસથી વાત ચાલી રહી છે કે નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવા જઈ રહ્યા છે અને પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની કમાન આપવામાં આવે તેવી શરત પણ નરેશ પટેલની સ્વીકારી લેવામાં આવી છે તેવા અહેવાલો બહાર આવ્યા હતા ત્યારે નરેશ પટેલ કહી રહ્યા છે કે તેઓ પોતે હજુ કન્ફ્યુઝ છે. ન આપ્યું છે.
હું અંગત કામ માટે ગયો હતો: નરેશ પટેલ
દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશ પટેલે મગનું મરી ન પાડ્યું અને ખુલાસો કરતાં કહ્યું કે હું તો લગ્નમાં ગયો હતો અને હોટલમાં ગયા બાદ તુરત પાછો આવી ગયો છું. કોઈ જ નેતા મારા સાથે હતા નહીં હું કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાને મળવા માટે ગયો હતો નહીં. લગ્નમાં ઘણા લોકો ત્યાં આવ્યા હતા તેમની સાથે જ મેં મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે હું કોને મળ્યો હતો તે બધા નામો અત્યારે નહીં કહું.
રાજકોટ એરપોર્ટ પર ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું મોટું નિવેદન: હું બહાર ગામ જઉં તો એવું ન હોય કે રાજકીય માટે જ જતો હોય, હું લગ્નમાં ગયો હતો#Rajkot#NareshPatelpic.twitter.com/56XMjYhyBL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 23, 2022
15મી મે પહેલા નિર્ણય જણાવીશ, હું પોતે કન્ફ્યુઝ છું: નરેશ પટેલ
નરેશ પટેલે કહ્યું કે હું પોતે પણ અવઢવમાં છું અને મારે સમાજને જવાબ આપવાના હોય છે એટલે હવે બહુ વિલંબ થશે નહીં, હું 15મી મે પહેલા તમને જણાવી દઈશ કે રાજકારણમાં શું કરવાનું છે. નરેશ પટેલે મોટું નિવેદન એ પણ આપ્યું હતું કે સર્વેનું કામ પૂરું થઈ ગયું છે એટલે નિર્ણય શક્તિમાં કોઈ ઉણપ હોય તેવું કશું જ નથી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 23, 2022
કોંગ્રેસ હાઇકમાન્ડને મળ્યા તેવી અટકળો
નોંધનીય છે કે શનિવાર સવારથી નરેશ પટેલ દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડને મળવા ગયા છે તેવી અટકળો વહેતી થઈ હતી કે તેમણે સોનિયા ગાંધી અને પ્રશાંત કિશોર સાથે મીટિંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસ નેતાઓ પણ સવારના ગેલમાં હતા અને રઘુ શર્મા સહિતના નેતાઓ કહી રહ્યા હતા કે નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત છે.
તારીખ પે તારીખ....
નોંધનીય છે કે નરેશ પટેલ રાજકારણમાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં બસ જાહેરાત કરી જ દેવાના છે તેવી અટકળો અને રાજકીય ચર્ચાઓ ઘણા દિવસથી ચાલી રહી છે. પણ દર વખતે નરેશ પટેલ દ્વારા કોઈ નવી જ તારીખ આપી દેવામાં આવે છે. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે નરેશભાઈ સર્વે કરાવી રહ્યા છે અને એપ્રિલ મહિનામાં જાહેરાત કરી દેવામાં આવશે. જોકે હવે નરેશ પટેલ કહી રહ્યા છે કે 15મી મેની તારીખ ફાઇનલ છે. હવે જોવાનું એ રહે છે કે નરેશ પટેલ દ્વારા શું જાહેરાત કરવામાં આવે છે.