રાજકોટ: લેઉવા પટેલના મોટા સંગઠન અને પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર એવા ખોડધામ ટ્રસ્ટના ચેરમેન પદેથી નરેશ પટેલે રાજીનામુ આપતાં ખળભળાટ વ્યાપ્યો છે.
લેઉઆ સમાજના અગ્રણી નરેશ પટેલે કોઇ અંગત કારણોસર રાજીનામુ આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યુ છે પરંતુ નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના આંતરિક રાજકારણથી કંટાળીને રાજીનામું આપ્યું હોવાનું મોટું કારણ માનવામાં આવે છે.
તેમના રાજીનામા મામલે એવું પણ મનાઈ રહ્યું છે કે નરેશ પટેલે કોઈ એક વ્યક્તિના વધુ પડતાં વર્ચસ્વથી કંટાળીને રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાથી જેટલા લેઉવા પટેલ સમાજમાં તર્ક-વિતર્ક ઉભા થયા છે તેનાની અનેક ગણો ખળભળાટ રાજકારણ ક્ષેત્રે ઉભો થયો છે.
ઉલ્લેખનીય છે કે નરેશ પટેલનું લેઉઆ પટેલ સમાજમાં વિશેષ ભાર રહેલો છે. અને ખોડલધામના વિકાસમાં તેમનો અગ્રગણ્ય ફાળો રહેલો છે.
ત્યારે આજરોજ તેમણે અચાનક ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમના રાજીનામાંથી લેઉઆ પટેલ સમાજમાં અંદરો અંદરો ચર્ચાનો દોર ચાલુ થયો હતો.