હાર્દિક એટલો મેચ્યોર છે કે તે મને સમજાવી શકે છે : નરેશ પટેલ
જલ્દીથી કેસો ખેંચાય તેવી સરકારને વિનંતી: નરેશ પટેલ
આજે રાજકોટના ખોડલધામ ખાતે રાજકીય અને સામાજિક મુદ્દાઓ તેમજ હાર્દિકની કોંગ્રેસથી નારાજગી અને નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા મામલે મહત્વની બેઠક યોજાઇ. જેમાં ચર્ચા બાદ નરેશ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, 'બેઠકમાં મારા પ્રવેશ અંગે ચર્ચા થઇ કે જે ક્યારે કરવો જોઇએ અને ક્યારેય ન કરવો જોઇએ, અને કઇ રીતે કરવો જોઇએ. એટલે હજુ અમારા એક રાઉન્ડની બેઠક થશે. આગામી 5થી 7 દિવસમાં બીજી બેઠક થશે ત્યાર બાદ હું મારો નિર્ણય તમારી સમક્ષ મૂકીશ.'
હજુ અમારે ચર્ચા થઇ નથી કે કોઇ પક્ષમાંથી બીજા પક્ષમાં જવું કે કેમ: નરેશ પટેલ
હાર્દિક અંગે નિવેદન આપતા નરેશ પટેલે જણાવ્યું કે, 'હાર્દિકની જે પરિસ્થિતિ છે તે યથાવત છે. અત્યારે જે પક્ષમાં છે તેમાં જ તે છે. એ વિશે હજુ અમારે ચર્ચા થઇ નથી કે કોઇ પક્ષમાંથી બીજા પક્ષમાં જવું પરંતુ જે પરિસ્થિતિ છે તે હજુ યથાવત છે. પરંતુ આગામી દિવસોમાં વધારે લોકો સાથે બેઠક કરીને આ અંગે નિર્ણય લેવાશે. તેનું સ્ટેસ દિનેશભાઇ વધારે તમારી સમક્ષ મૂકી શકશે. પણ જે કેસ ખેંચવાની ઓપોઝિટ વાત થઇ છે તે સારી બાબત છે. પણ જલ્દીથી કેસો ખેંચાય તેવી સરકારને વિનંતી.'
વધુમાં જણાવ્યું કે, 'મારા વિશે પણ ઘણી ચર્ચા થઇ. પણ અગાઉ કહ્યું તેમ મારા વિશે વડીલો, યુવાનો ચિંતા કરે છે. પરંતુ મારા મામલે નિર્ણય હજુ એક બેઠક બાદ લેવાશે. 5-10 દિવસની અંદર જ હું મારો નિર્ણય જણાવી દઇશ.'
હાર્દિક એટલો મેચ્યોર છે કે તે મને સમજાવી શકે છે : નરેશ પટેલ
નરેશ પટેલે હાર્દિક અંગે જણાવ્યું કે, 'હાર્દિક પટેલને કયા પક્ષમાં રહેવું તે નિર્ણય તેનો અંગત હશે. આજની અમારી બેઠકમાં કોઇ પક્ષ ફેરવવો કે નહીં તે અંગેની પણ ચર્ચા થઇ નથી. હાર્દિક એટલો મેચ્યોર છે કે તે મને સમજાવી શકે છે.' આ સાથે કેસ પરત ખેંચવા અંગે જણાવ્યું કે, 'તેની સ્પીડ જરાક વધારે કરવામાં આવે તેવી સરકારને વિનંતી. પાટીદાર સમાજમાં જેટલાં પણ નેતા બેઠેલા છે તેમને પણ વિનંતી કરીએ છીએ, CM સાહેબને પણ વિનંતી કરી છે અને એ લોકો પણ ખૂબ કોશિશ કરે છે કે આ જલ્દીથી પતી જાય.'