કે ડી પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં CM, સી.આર.પાટીલ અને નરેશ પટેલ તેમજ ડો. ભરત બોઘરા એક મંચ પર જોવા મળ્યા, લોકસભા ચૂંટણી પહેલા બંને અગ્રણી એક મંચ પર આવતા ચર્ચાનો વિષય બન્યો
આટકોટમાં કે.ડી પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ
લોકાર્પણ કાર્યક્રમના મંચ પર નરેશ પટેલને સ્થાન
લોકસભા ચૂંટણી પહેલાના કાર્યક્રમથી ચર્ચા
આટકોટમાં કે.ડી પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, આ લોકાર્પણ કાર્યક્રમમાં CM, સી.આર.પાટીલ અને નરેશ પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા, જેને લઈ ફરી એકવાર રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું મહત્વ જોવા મળ્યું હતું જેને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.
નરેશ પટેલ અને ડૉ.ભરત બોઘરા એક મંચ પર
નરેશ પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો તેમજ ડૉ.ભરત બોઘરાએ નરેશ પટેલનું સન્માન કર્યું હતું. નરેશ પટેલ અને ડૉ.ભરત બોઘરા એક મંચ પર આવતા ભારે ચર્ચાઓ થઈ રહી છે. લોકસભા ચૂંટણી પહેલા બંને અગ્રણી એક મંચ પર આવતા ચર્ચાનો વિષય બન્યો છે.
નરેશ પટેલને લઈ ફરી રાજકારણ ગરમાયું
સૌરાષ્ટ્રના રાજકારણમાં આ સમારોહના કાર્યક્રમ પછી અનેક ચર્ચા જાગી છે. અત્રે તમને જણાવી દઈએ કે, PMના હસ્તે ગતવર્ષે અહીં હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે નરેશ પટેલ વિસરાયા હતા અને હોસ્પિટલના આમંત્રણ કાર્ડમાં નરેશ પટેલનું નામ પણ ન હતું જેને લઈ તે સમયે સોશિયલ મીડિયામાં આ મુદ્દો ભારે ચર્ચામાં રહ્યો હતો. જો કે, આ વર્ષના સમારોહમાં ડો. ભરત બોધરાએ નરેશ પટેલનું સન્માન કર્યું હતું તેમજ નરેશ પટેલ હસ્તે દીપ પ્રાગટય પણ કરાયું હતું.