લોકસભાની ચૂંટણી રાજ્યમાં ગણતરીના દિવસોમાં યોજાવા રહી છે, ત્યારે દરેક પક્ષમા સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. નવજોતસિંહ સિદ્ધુએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને જાહેરસભામાં ભાજપ આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે હવે ભાજપના નેતા નરેશ કનોડીયાએ કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધૂ પર કટાક્ષ કર્યો છે.
ભાજપના નેતા નરેશ કનોડીયાએ કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધૂ પર કટાક્ષ કર્યો છે. નરેશ કનોડીયાએ કહ્યું કે, નવજોતસિંહ સિદ્ધૂ માત્ર કોમેડી કરે છે. તેઓ શોની જેમ શેરો શાયરી અને કોમેડી કરે છે. આપણે એક કલાકાર છીએ અને કલાકારને આવા પ્રકારના નિવેદનો શોભે નહીં.
નરેશ કનોડીયાએ વધુમાં કહ્યું કે, નવજોતસિંહ સિદ્ધૂ ભારત દેશનું ખાઈને બીજા દેશના ગુણગાન ગાય છે. સિદ્ધૂ પીએમ મોદીને ચોર કહે છે. ચૂંટણીના પરિણામમાં ખબર પડશે કે ચોર કોણ છે અને ઘંટી ચોર કોણ છે. તમે લોકો ન્યાય નહીં કરો પણ જનતા ન્યાય કરશે. ચૂંટણીમાં જનતા પોતાનો વોટ આપીને ન્યાય કરશે.
ઉલ્લેખનીય છે કે, નવજોતસિંહ સિદ્ધુએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને જાહેરસભામાં ભાજપ આકરા પ્રહાર કર્યા હતા. ત્યારે ભાજપના નેતા નરેશ કનોડીયાએ પણ સિદ્ધૂ પર કટાક્ષ કર્યા છે.