ગુજરાતી ફિલ્મોના મહાનાયક સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થતા તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજૂક હતી. આજે નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા. જ્યારે રવિવારે નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું.
CM રૂપાણીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ
ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે.
ફિરોજ ઈરાનીએ પણ આપી શ્રદ્ધાંજલિ
ફિલ્મનિર્માતા જેકીભાઇએ વ્યક્ત કર્યું દુ:ખ
ગુજરાતી ફિલ્મોના મહાનાયક સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. નરેશ કનોડિયાના નિધન પર ફિલ્મનિર્માતા જેકીભાઇએ દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. ગુજરાતી ફિલ્મ જગતમાં મોટી ખોટ પડશે
નરેશ કનોડિયાના નિધન પર હિતેન કુમારે આપી પ્રતિક્રિયા
"મને સમજાતું નથી કે શું પ્રતિભાવ આપવો. મહેશભાઈ અને નરેશભાઈ રામ-લક્ષ્મણની જોડી સમાન હતા. ફિલ્મ અને સંગીતના ક્ષેત્રે એક યુગનો અંત. મારા નરેશભાઈ સાથે અનેક સંભારણા છે.
કિર્તીદાન ગઢવીએ પાઠવી શ્રદ્ધાંજલિ
ગુજરાતી ફિલ્મ જગત માટે માઠા સમાચાર છે. ગુજરાતી ફિલ્મ જગતને પૂરી ન શકાય તેવી ખોટ પડી છે.
નરેશ-મહેશ કનોડિયાના નિધનથી સંતોએ પ્રાર્થના કરી છે. ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટારના નિધનથી કલા જગતમાં મોટી ખોટ પડી છે ત્યારે કનોડિયા પરિવાર આઘાત સહન કરી શકે એ માટે પ્રભુને પ્રાર્થના કરવામાં આવી રહી છે. સાવરકુંડલા માનવ મંદિરના સંત ભક્તિબાપુએ શ્રદ્ધાંજલી આપી છે.
અભિલાષ ઘોડાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જણાવ્યું હતુ કે, ''મારી અનેક યાદો જોડાયેલી'' છે. તો અરવિંદ વેગડાએ પણ શ્રદ્ધાંજલિ આપી છે.
ગુજરાતી ફિલ્મોના મહાનાયક સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થતા તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજૂક હતી. અને સતત વેન્ટિલેટર પર હતા. ત્યારે આજે ગુજરાતી ફિલ્મોના મહાનાયક જેમની મોટાભાગની ફિલ્મો સુપરહિટ રહી તેવા સુપરસ્ટાર નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા.
રવિવારે નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારે ટૂંકા ગાળામાં કનોડિયા ભાઈઓએ દુનિયામાંથી વિદાય લીધી છે. નરેશ કનોડિયોનો જન્મ 20 ઓગસ્ટ 1943માં થયો. અને તેઓએ 1970માં પહેલી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી કારકિર્દીની શરૂઆત કરી. મોટાભાઈ મહેશ કનોડિયા સાથે અનેક મ્યુઝીકલ કોન્સર્ટ કર્યા.
80ના દશકમાં ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં મ્યુઝીકલ કોન્સર્ટ દ્વારા ધૂમ મચાવી હતી. નરેશ કનોડિયાએ જોગ સંજોગ, લાજુ લખન, ઉંચી મેડીના ઉંચા મોલ, રાજ રાજવન, મન સાઈબાને મેળે, ઢોલા મારુ સુપરહિટ ફિલ્મો આપી છે. સ્નેહલતા, અરૂણા ઈરાની અને રોમા માણેક સાથેની ફિલ્મી જોડી પણ લોકોએ ખુબ પસંદ કરી. નરેશ કનોડિયાએ છોટા આદમી નામની હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું. અને દાદાસાહેબ ફાળકે અકાદમી એવોર્ડથી 2012માં નવાજવામાં આવ્યા હતા.