ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાનું આજે સવારે 9 કલાકની આસપાસ નિધન થઇ ગયું હતું. નરેશ કનોડિયાને કોરોના પોઝિટિવ આવતા યુએન હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. ત્યારે 77 વર્ષની ઉંમરે આજે સવારે અંતિમ શ્વાસ લીધા.
નરેશ કનોડિયાને કોરોના પોઝિટિવ હોવાના કારણે તેમનો નશ્વર દેહ હોસ્પિટલથી ગાંધીનગર સેકટર 30 સ્મશાનગૃહમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં.
ઉલ્લેખનીય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી પીઢ અભિનેતા નરેશ કનોડિયાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. બે દિવસ અગાઉ જ નરેશ કનોડિયાના ભાઇ મહેશ કનોડિયાનું નિધન થયું હતું.
In a span of two days, we have lost both Maheshbhai and Nareshbhai Kanodia. Their contributions to the world of culture, especially popularising Gujarati songs, music and theatre will never be forgotten. They also worked hard to serve society and empower the downtrodden. pic.twitter.com/Ri4GzOO5zo