કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મોટું નિવેદન આપ્યું છે કે ગુજરાતનો આગામી મુખ્યમંત્રી ધારાસભ્યોમાંથી જ કોઈ એક હશે.
કેન્દ્રીય મંત્રી અને નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમરનું નિવેદન
ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે-નરેન્દ્રસિંહ તોમર
પાર્ટી અધ્યક્ષ સાથે ચર્ચા કરીશું-નરેન્દ્રસિંહ તોમર
ધારાસભ્યમાંથી જ કોઈ એક CM હશે-નરેન્દ્રસિંહ તોમર
નરેન્દ્રસિંહ તોમર અને તરૂણ ચુગ ગુજરાત પહોંચ્યા
ગુજરાતમાં વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ છે, સમગ્ર રાજ્યની નજર અત્યારે કમલમ પર છે અને કયું નામ સામે આવે છે તેની રાહ જોવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રથી બે નેતાઓ નિરીક્ષક તરીકે ગુજરાતમાં આવેલા છે ત્યારે એરપોર્ટ પર નિરીક્ષકે મોટું નિવેદન આપ્યું છે.
ધારાસભ્યમાંથી જ કોઈ એક CM હશે: નરેન્દ્રસિંહ તોમર
કેન્દ્રથી નરેન્દ્ર સિંહ તોમર અને તરુણ ચુગ ગુજરાત આવેલા છે અને પાટિલનાં નિવાસ સ્થાને આ મુદ્દે બેઠક કરવામાં આવી છે. આ બેઠક પહેલા એરપોર્ટ પર નરેન્દ્ર સિંહ તોમરે મોટું નિવેદન આપ્યું હતું. તોમરે કહ્યું કે જે પણ મુખ્યમંત્રી હશે તે ધારાસભ્યોમાંથી જ કોઈ હશે. તોમરે કહ્યું કે ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે અને અમે પાર્ટી અધ્યક્ષ સાથે ચર્ચા કરીને નવા મુખ્યમંત્રી અંગે ચર્ચા કરીશું.
અમિત શાહ આવી શકે છે ગુજરાત
નોંધનીય છે કે આજે જ ભારતીય જનતા પાર્ટીનાં બધા જ ધારાસભ્યોને બેઠક કરવામાં આવશે અને તે બાદ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે. શક્યતાઓ છે કે આજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી શકે છે.
દિલ્હીથી આવેલા બે નિરિક્ષકો નામ પર મારશે મહોર
આજે વહેલી સવારથી બંને નિરીક્ષકો અમદાવાદ આવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ઉલ્લેખનીય છે કે આજે બપોરે 3 વાગ્યે ધારાસભ્યોની બેઠક મળવાની છે ત્યારે આ બેઠક બાદ બંને નિરીક્ષકો સત્તાવાર રીતે CMના નામની જાહેરાત કરી શકે છે એવું પણ મનાઈ રહ્યું છે અહીં ભાજપના કેન્દ્રિય નિરિક્ષકે નરેન્દ્રિસિંહ તોમરે કહ્યું કે અમે અહીં ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામ પર વધુ ચર્ચા કરવા માટે આવ્યા છીએ. અમે પ્રદેશ અધ્યક્ષ અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરીશું: કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહના તોમર આવું કહ્યા બાદ