કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરનો દાવો છે કે મોદી સરકારના 8 વર્ષના શાસનમાં લાખો ખેડૂતોની આવક ડબલ થઈ છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરનો દાવો
8 વર્ષમાં લાખો ખેડૂતોની આવક બમણી થઈ
મોદી સરકારે વચન પૂરી કરી દેખાડ્યું- તોમર
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનું માનવું છે કે મોદી સરકારના 8 વર્ષના શાસનમાં લાખો ખેડૂતોની આવક બમણી થઈ છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બની ત્યારે ખેડૂતોની આવક બમણી કરવાનું જે વચન આપ્યું હતું તે આઠ વર્ષના કાર્યકાળમાં પૂર્ણ થયું છે. તેમણે દાવો કર્યો હતો કે આ સમયગાળા દરમિયાન દેશના લાખો ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે.
કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા તમામ પ્રયાસો
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર)ના 94મા સ્થાપના દિવસના પ્રસંગે તોમરે કહ્યું કે, મોદી સરકારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું હતું અને તેને પૂર્ણ કરવામાં તે સફળ રહી છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષમાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. આનો શ્રેય કેન્દ્રની સાથે રાજ્ય સરકારો, વૈજ્ઞાનિકો અને ખેડૂત સમુદાયને જાય છે.
ઉત્તરાખંડ, બંગાળ, છત્તીસગઢના ખેડૂતોની આવકમાં 200 ટકાનો ઉછાળો
નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે દેશમાં 14 કરોડ ખેડૂતો છે, જેમાંથી 85 ટકા નાના અને સીમાંત ખેડૂતો છે. છેલ્લા આઠ વર્ષના પ્રયાસોના પરિણામે લાખો ખેડૂતોની આવક બમણી થઈ છે. ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને પુડુચેરીમાં ખેડૂતોની આવકમાં 200 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું સરકારનું લક્ષ્ય હતું
ઉલ્લેખનીય છે કે 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનું સરકારનુ ંલક્ષ્ય રાખ્યું હતું જે હવે પુરુ થયું હોવાનો દાવો કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરે કર્યું છે.