મોદી સરકારના વિવાદિત કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદ પર ખેડુતોનું આંદોલન 24 માં દિવસે પ્રવેશી ગયું છે. દરેક એક દિવસ સાથે, આ આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહી છે. દરમિયાન, ખેડૂત આંદોલન વિરૂદ્ધ માહોલ બનાવવા માટે ભાજપે દેશભરમાં કિસાન સંમેલન યોજવાનું અભિયાન શરૂ કર્યું છે, જેમાં પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ જોડાઇ રહ્યા છે. કૃષિ મંત્રી ખુદ આવા પરિષદોમાં જોડાઇને કૃષિ કાયદાના લાભના ફાયદા ગણાવી રહ્યા છે.
કૃષિ કાયદાના વિરોધનો 24મો દિવસ
કૃષિમંત્રીનો ગ્લાલિયરમાં થયો ઘેરાવો
મહિલાઓએ કૃષિમંત્રીને કહ્યું- દિલ્હીની ઠંડીમાં ઠુંઠવાતા ખેડૂતો નથી દેખાતા
ઉલ્લેખનીય છે કે, આવા જ એક ખેડુત સંમેલનમાં ગ્વાલિયર પહોંચેલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને જ્યારે એક ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે કેટલાક લોકોએ તેમના કાફલાને ઘેરી લીધો હતો.
મહિલાઓએ તોમરને કહ્યું- દિલ્હીમાં ખેડૂતો નથી દેખાતા કે...
લોકો સાથે વાત કરવા ગાડીમાંથી નીચે ઉતરેલા તોમરને મહિલાએ ખરી-ખોટી સંભળાવી હતી. મહિલાએ તોમરને સીધો સવાલ કર્યો કે, કૃષિ કાયદા અંગે વાતચીત કરવા માટે દિલ્હીની ઠંડીમાં ઠૂંઠવાઇ રહેલા ખેડૂતો નથી દેખાતા? કે ગ્વાલિયરના ખેડૂતો સાથે વાત કરવા આવી પહોંચ્યા છો.
કૃષિમંત્રીનું વતન છે ગ્વાલિયર
આપને જણાવી દઇએ કે, મધ્ય પ્રદેશનું ગ્વાલિયર એ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરનું વતન છે અને તેથી જ તેઓ ખાસ કરીને ત્યાં ભાજપના કિસાન સંમેલને સંબોધન કરવા માટે આવ્યા હતા. પરંતુ તે દરમિયાન કેટલાક ખેડૂત નેતાઓએ તેમનો કાફલો રોકી દીધો. આ પછી, પોલીસ કહેવા છતાં વિરોધીઓ ન છોડ્યા ત્યારે તોમર ખુદ તેમની સાથે વાત કરવા ગયા હતા. પછી લોકોએ તેમને ઘેરી લીધા અને ખરી-ખોટી સંભળાવી હતી. આ સમય દરમિયાન, એક મહિલાએ તેમને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે શું તમને દિલ્હીમાં આંદોલન કરતા ખેડૂતો દેખાતા નથી, કે છેક ગ્વાલીયર વાતચીત કરવા માટે આવી પહોંચ્યા છો.
કૃષિ કાયદાનો આજે 24 દિવસ
નવા કૃષિકાયદાના વિરોધમાં આજે 24મો દિવસ છે ત્યારે જગતનો તાત 4 ડિગ્રી તાપમાનમાં પણ રોડ પર પથારી કરી, તાપણા કરીને વિરોધની આગને બુઝાવા દેવા માટે તૈયાર નથી. કૃષિ કાયદાના વિરોધ કરી રહેલા ખેડૂતોના દિવસો તો પસાર થઈ જાય છે પણ કડકડતી ઠંડીમાં સરકારને આ કિસાનોનું દર્દ કેમ નથી દેખાતુ તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
કૃષિ કાયદાની વિરોધમાં 24 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર એકઠા થયા છે. કેન્દ્ર સરકાર અને ખેડૂતોની વચ્ચે અવરોધ સર્જાયો છે. આ સમયે કેન્દ્ર સરકાર અને ખેડૂતોનું કહેવું છે કે તેઓ વાર્તા માટે તૈયાર છે પણ ખેડૂતોની માંગ છે કે કૃષિ કાયદાને રદ્દ કરાય અને પછી જ વાતચીત શક્ય છે.