વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવુ નામ છે જે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ભારતના દરેક મોઢે લેવાતુ હતુ. હવે જ્યારે તે ભારત દેશના વડાપ્રધાન છે ત્યારે તેમની સિક્યોરીટીનો પ્રશ્ન પણ મોટો થઇ ગયો છે. ત્યારે હવે મોદી સાહેબ માટે VVIP બોઇંગ વિમાન એર ઇન્ડિયા આવી રહ્યું છે. જે આવતા અઠવાડિયે દિલ્હીમાં લેન્ડ કરશે.
નરેન્દ્ર મોદીનુ અભેદ વિમાન
એરફોર્સના પાયલટ ઉડાવશે વિમાન
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે આ વિમાન
સરકારે બે ખાસ ડિઝાઇન કરેલા પ્લેન 777-300ઇઆર વિમાન ઓર્ડર કર્યા છે. આમાંથી એક વડાપ્રધાન માટે જ્યારે બીજુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે હશે.
કેવુ હશે વિમાન
અમેરિકી રાષ્ટ્રપતિ માટે જે પ્રકારનું વિમાન છે તે પ્રકારનું જ આ વિમાન પણ હશે. વિમાનની ખાસ પ્રકારની સાજ સજ્જા કરવામાં આવી છે. આ વિમાન આવશે ત્યારે જૂના 25 વર્ષ જૂના બોઇંગ 747 વિમાન હટાવી લેવામાં આવશે. આ બંને વિમાન ભારતીય વાયુસેનાના પાયલટ દ્વારા ચલાવવામાં આવશે.
વિમાનની શું હશે ખાસિયત ?
એર ઇન્ડિયા વન એડવાન્સ અને સિક્યોર કમ્યૂનિકેશન સિસ્ટમ છે. આ વિમાન એક રીતે સંપૂર્ણ હવાઇ કમાન કેન્દ્રની રીતે કામ કરશે. જેના ઓડિયો કે વીડિયોને ટેપ નહી કરી શકાય.
બંને વિમાનમાં પોતાનુ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, સેલ્ફ પ્રોટેક્શન સૂટ છે. જે દુશ્મનના રડાર ફ્રિકવન્સીને જામ કરી શકે છે.
બંને વિમાન એક રીતે જોવા જઇએ તો મજબૂત હવાઇ કિલ્લા જેવા છે. જેને તોડવા મુશ્કેલ છે
આ વિમાનની અંદર કોન્ફરન્સ રૂમ, વીઆઇપી યાત્રીઓ માટે કેબિન, એક મેડિકલ સ્ટોર સાથે જ બીજા સ્ટાફ માટે સીટ હશે.
આ વિમાનની એક ખાસ સાઇન હશે જેનાથી ખબર પડશે કે આ વિમાનમાં રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી સવાર છે.
આ વિમાન ઉપર અશોક ચક્રની સાથે ભારત અને ઇન્ડિયા લખેલુ હશે.
આ વિમાન એક વાર ઇંધણ ભર્યા બાદ સતત 17 કલાક ઉડાન ભરી શકે છે.