છેલ્લા 5 વર્ષમાં ઘણી એવી તક આવી છે જ્યારે સાધુ સંતોએ માગણી કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત જરૂરથી અયોધ્યા આવવું જોઇએ. પરંતુ 5 વર્ષ બાદ હવે આ તક મળી છે જ્યારે નરેન્દ્ર મોજી પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વખત રામની નગરી અયોધ્યામાં હશે. અયોધ્યામાં 6 મે ના રોજ મતદાન છે.
લોકસભા ચૂંટણી 2019ની અડધી જંગ પૂર્ણ થઇ ચૂકી છે. ત્યારે હવે આગળની લડાઇ માટે અને યૂપીમાં ફરી એકવાર વધુ સીટ મેળવવા માટે પીએમ મોદીએ પોતાની સમગ્ર તાકાત ઝોંકી દીધી છે.
હવે મળતી માહિતી મુજબ પીએમ મોદી પહેલી વખત અયોધ્યામાં જાય તેવી પણ શક્યતા છે. જ્યાં તેઓ ચૂંટણી સભાને સંબોધિત કરશે.
ઉલ્લખનીય છે કે, ચૂંટણી પહેલા રામ મંદિરનો મુદ્દો ખુબ ચર્ચામાં રહ્યો હતો. મામલો હજુ પણ સુપ્રીમ કોર્ટમાં છે તો ભાજપ સાથે પણ રામ મંદિરનો મુદ્દો લાંબા સમયથી જોડાયેલો છે. સાધુ સંતોની માગ રહી છે કે, મોદી સરકાર મંદિર બનાવે પરંતુ સરકાર કોર્ટના નિર્ણયનો તર્ક આપતી રહી છે.
છેલ્લા 5 વર્ષમાં અનેક વખત એવો સમય આવ્યો છે જ્યારે સાધુ સંતો પીએમ મોદીને એકવાર અયોધ્યા આવાનું કહી ચૂક્યા છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં આ પ્રથમ વખત હશે જ્યારે નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ રામની નગરી અયોધ્યામાં હશે. અયોધ્યામાં 6 મેના રોજ મતદાન છે ત્યારે પીએમ મોદી 1 મે અયોધ્યા જાય તેવી શક્યતા છે અને ત્યાં તેઓ એક રેલી પણ સંબોધશે.
2017માં જ્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવી તો રામ ભક્તોને આશા જાગી હતી કે હવે જ્યારે કેન્દ્ર રાજ્ય બંનેમાં પૂર્ણ બહુમતની સરકાર છે તો મંદિસ સમસ્યાનો ઉકેલ જરૂરથી થશે. પરંતુ કેસ સુપ્રીમ કોર્ટમાં હોવાને કારણે સરકાર કંઇ કરી શકી નહીં.
સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા કેટલાક દશકોથી અટકેલો છે. સતત સુનવણી પર સુનવણી ચાલુ છે.