ભારત અત્યારે કોરોના વાયરસ સંકટથી પસાર થઇ રહ્યું છે અને એવામાં અર્થતંત્રને ઉગારવા માટે સરકાર વિવિધ રોકાણકારોને આકર્ષવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે આજે વિશ્વનાં રોકાણકારોને પીએમ મોદીએ સંબોધિત કર્યા.
વર્ચયુઅલ ગ્લોબલ ઈન્વેસ્ટર રાઉન્ડ ટેબલ પર PMનું સંબોધન.
ભારત આ વર્ષે વૈશ્વિક મહામારી સામે બહાદૂરીથી લડ્યુ: PM
કોરોના સંકટથી લડી રહેલ દુનિયાના અર્થતંત્રને સંકટથી બહાર કાઢવા માટે અને 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીનો લક્ષ્ય હાંસલ કરવા માટે સરકાર ખૂબ મહેનત કરી રહી છે ત્યારે આજે પીએમ મોદીએ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ રાઉન્ડટેબલમાં દુનિયાભરના રોકાણકારોને કહ્યું કે ભારત તેમના માટે રોકાણ કરવા માટે યોગ્ય જગ્યા છે. કૉર્પોરેટ્સએ આકર્ષવા માટે પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારતમાં કૉર્પોરેટ ટેક્સ ન્યૂનતમ છે.
India’s quest to become 'Aatmanirbhar' is not just a vision but a well-planned economic strategy. A strategy that aims to use capabilities of our businesses & skills of our workers to make India into a global manufacturing powerhouse: PM Modi at virtual Global Investor Roundtable pic.twitter.com/nxWhFW5NqS
આત્મનિર્ભર ભારત માત્ર વિઝન નહીં પણ સંપૂર્ણ રણનીતિ છે તૈયાર-PM મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જો તમારે રિટર્નની સાથે સાથે રિલાએબિલીટી જોઈએ, ડીમાન્ડની સાથે ડેમોક્રેસી (લોકતંત્ર) જોઈએ તો ભારતથી સારો કોઈ દેશ હોઈ જ ન શકે. અહિયાં તમને સ્ટેબિલીટી (સ્થિરતા) મળશે. અહિયાં ગ્રોથ છે તો સાથે સાથે ગ્રીનરીનું પણ તેટલું જ ધ્યાન રાખવામાં આવે છે.
પીએમ મોદીએ રોકાણકારોને આકર્ષવા માટે ભારતને મોટા બજારના રૂપમાં પ્રસ્તુત કર્યું અને કહ્યું કે અહિયાં ડીમાન્ડની સાથે સાથે મજબૂત ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડાયવર્સિટી પણ છે. ભારતની દરેક ઉપલબ્ધીનું વિશ્વ પર ખૂબ ઊંડી અસર પડે છે .
નાણાંકિય વર્ષ 2024-25 સુધી 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમિનું લક્ષ્ય
નોંધનીય છે કે પીમેમ મોદી VGIR 2020માં સંબોધન કરી રહ્યા હતા જેમાં અમેરિકા, યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલીયા, કોરિયા, જાપાન, મિડલ ઈસ્ટના ટોપ-20 રોકાણકારો સામેલ થયા હતા. આ રોકાણકારો વિશ્વમાં કુલ 6 ટ્રિલિયન ડોલરની સંપત્તિઓને મેનેજ કરે છે. ભારતના અર્થતંત્રને મોટો આકાર આપવા માટે સરકાર રોકાણકારોને આકર્ષી રહી છે અને આ કાર્યક્રમ સરકારના નાણા મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રીની વર્ચુઅલ બેઠકમાં રતન ટાટા, મુકેશ અંબાણી પણ થયા સામેલ
આજે આ બેઠકમાં દિપક પારેખ, દિલીપ સંઘવી, મુકેશ અંબાણી, નંદન નીલેકણી, રતન ટાટા અને ઉદય કોટક જેવા ભારતીય દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ સામેલ થયા હતા.