નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત લેવાના છે. મોદીની આ રશિયાની યાત્રા બાકીની યાત્રાઓ કરતા અલગ છે. મોદીની આ રશિયાની યાત્રા દરમિયાન અનેક મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. રશિયામાં ભારતના રાજદૂત પંકજ સારને કહ્યું કે ફરી એકવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાના માત્ર 2 જ સપ્તાહની અંદર વ્લાદિમીરઓ પુતિને પોતે જ નરેન્દ્ર મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. બન્ને નેતાઓની મુલાકાતમાં શું થશે ચર્ચા તે એક અભ્યાસનો વિષય છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજશે. મોદીની આ રશિયા મુલાકાત એટલા માટે અલગ છે કેમ કે ચોથીવાર રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાના બે જ સપ્તાહમાં પુતિને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. જે પ્રમાણે બંને દેશના નેતાઓ વચ્ચેની દોસ્તી છે તેને જોતા આ મુલાકાત ખુબ જ ઉપયોગી સાબિત થશે.નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે રવાના થયા છે.
21મેના તેઓ રશિયાના સોચીમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અનૌપચારિક મુલાકાત કરશે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મોદી આજ પ્રકારે ચીનની અનૌપચારીક મુલાકાતે ગયાં હતાં. મોદી-પુતિનની આ મુલાકાત પર દુનિયાની નજર રહેશે. બંને દેશના નેતાઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક-બીજાની અર્થવ્યવસ્થા અને પ્રભાવને વધારવા માટે પરસ્પર સહયોગને લઈને ચર્ચા કરશે. આ ઉપરાંત ઈરાક ન્યૂક્લિયર ડીલમાંથી અમેરિકાના ખસી ગયા બાદ થનારી અસરને લઈને ચર્ચા કરશે.
આપને જણાવી દઇએ કે ભારત અને રશિયા બંને આતંકવાદથી પીડિત છે.જેના કારણે બંને પક્ષો વચ્ચે ISISના ખતરા અને અફઘાનિસ્તાન-સીરિયાની સ્થિતિ પર ચર્ચા થવાની શક્યતા છે. સારનના જણાવ્યા પ્રમાણે બંને દેશોના નેતાઓ વચ્ચે દુનિયામાં પરમાણું ક્ષેત્રે સહયોગને લઈને ચર્ચા થઈ શકે છે. બાંગ્લાદેશમાં ભારત રૂપપુર પરમાણું પ્લાંટ બનાવી રહ્યું છે. પીએમ મોદીનું સોચી એરપોર્ટ પર રશિયાના ટોચના અધિકારીઓ સ્વાગત કરશે. બાદમાં તેઓ પુતિનના રિસોર્ટ પર જશે. ઉલ્લેખનીય છે કે સોચી રશિયાનું ખુબ જ મહત્વનું શહેર છે. છેલ્લા 10 દિવસમાં પુતિને અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી છે.