પીએમ મોદી ગુરુવારે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પહોંચ્યા હતા. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે તાલીમાર્થી IAS અધિકારીઓને સંબોધન કરતાં તેમણે કહ્યું કે એક સમયે એક સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરો. પીએમ મોદીએ કહ્યું કે ભવિષ્યમાં જ્યારે તમે (આઈએએસ અધિકારી) તરીકે ક્યાંક હાજર થશો ત્યારે 'એક જિલ્લો, એક સમસ્યા અને સંપૂર્ણ નિરાકરણ' નીતિ પર કામ કરો.
સરદાર પટેલની જન્મજયંતિએ PM મોદીનું સંબોધન
PM મોદીએ તાલીમાર્થી IAS ને આપ્યો મંત્ર
એક જિલ્લો, એક સમસ્યા અને સંપૂર્ણ નિરાકરણની નીતિ પર આપો ધ્યાન
સરદાર પટેલની જન્મજયંતિ પર તેમને યાદ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, 'સરદાર સાહેબએ યાદ કરાવ્યું હતું કે તે અમલદારશાહી છે, જેના પર આપણે આગળ વધવું પડશે, જેમણે રજવાડાઓના જોડાણમાં મહત્વનો ફાળો આપ્યો છે. સરદાર પટેલે બતાવ્યું છે કે સામાન્ય લોકોના જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન માટે હંમેશાં બુલંદ ઇચ્છાશક્તિ હોવી જરૂરી છે.
PM મોદીએ ભાવિ અધિકારીઓને ભણાવ્યા ગાંધીગીરીના પાઠ
PM Narendra Modi, at IAS Probationers Event in Kevadiya (Gujarat) I suggest you to deal with one big problem of your area of posting at one time and try to solve it completely - this means 'One district, one problem and total solution.' pic.twitter.com/zuDZ12RAFG
ભાવી IAS અધિકારીઓને તેમના નિર્ણયો માટેની ટિપ્સ આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આગળ ચાલીને તમે જ્યારે કોઇ નિર્ણય લો ત્યારે 2 માપદંડનું ધ્યાન રાખો. પ્રથમ- જે રસ્તો મહાત્મા ગાંધીએ બતાવ્યો હતો કે તમારો નિર્ણય સમાજના અંતિમ છેડે ઉભા રહેલ વ્યક્તિની આશા અને આકાંક્ષાઓેને પૂર્ણ કરે છે કે નહીં. બીજો- આપના નિર્ણયથી દેશની અખંડતાને બુસ્ટ મળે.
PM at IAS Probationers Event in Kevadiya (Gujarat): Hamari zimmedari banti hai ki hum deshvasiyon ki 'Ease of Living' ko badhaaein. Hamein proactively kaam karna hoga. Hamein iss baat ko sunischit karna hoga ki saamanya maanav ko rozmarra ki zindagi mein sarkar se joojhna na pade pic.twitter.com/TxzYJbxfth
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અધિકારીઓને દરેક જિલ્લામાં એક મોટી સમસ્યાના સમાધાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આવનારા સમયમાં આપનામાંથી કોઇ સાથીનું પોસ્ટિંગ જિલ્લા અને બ્લોક સ્તર પર થશે. મારું તમને સુચન છે કે, એક સમયમાં એક જ સમસ્યાને હાથમાં લો અને એક જિલ્લો, એક સમસ્યા અને સંપૂર્ણ નિરાકરણ' નીતિ પર કામ કરો. જેનાથી તમારા આત્મ વિશ્વાસમાં વધારો થશે. પ્રજાનો વિશ્વાસ તમે જીતશો તો જનતાની ભાગીદારી વધશે.
AC રૂમમાંથી બહાર નીકળીને જમીન પર ઉતરો
PM Narendra Modi in Kevadiya (Gujarat): Hamein ye dhyaan rakhna hoga ki samanya maanav ki zindagi sarkar ke prabhaav mein dab na jaaye. Aur gareeb ki zindagi sarkar ke abhaav mein dam na tod de. https://t.co/TNiuiRrDoE
અમલદારશાહીને સલાહ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે 'આપણે ઘણી વાર એસી રૂમમાં બેઠાં-બેઠા બધુ બરાબર લાગે છે. આ જ કારણ છે કે ઘણી વાર આપણને સામાન્ય સમસ્યાઓ વિશે સાચી માહિતી મળતી નથી. આપણે આપણા આરામ ક્ષેત્રમાંથી બહાર નીકળવું અને લોકો સાથે જોડાવાની જરૂર છે. જેનાથી, વધુ સારું કામ કરી શકશે.