પીએમ નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને શાંતિનો પાઠ ભણાવતા કહ્યું કે આ યુગ યુદ્ધનો યુગ નથી.
PM મોદીએ રશિયાને ભણાવ્યો શાંતિનો પાઠ
PM મોદીએ કહ્યું - આજનો યુગ યુદ્ધનો યુગ નથી
અમેરિકાએ કહ્યું આંતરરાષ્ટ્રીય સમુદાયથી અલગ પડી રહ્યા છે પુતિન
અમેરિકાએ કહ્યું આંતરરાષ્ટ્રીય સમુદાયથી અલગ પડી રહ્યા છે પુતિન
રશિયા - યુક્રેન યુદ્ધ વચ્ચે સમરકંદમાં કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠક થઇ હતી. આ દરમિયાન પીએમએ પુતિનને શાંતિનો પાઠ ભણાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી. પ્રધાનમંત્રી મોદીનાં આ સંદેશથી અમેરિકા ગદગદ થઇ ગયું. વ્હાઈટ હાઉસે કહ્યું કે રશિયાનાં રાષ્ટ્રપતી પુતિન ખુદને આંતરરાષ્ટ્રીય સમુદાયથી અલગ કરી રહ્યા છે. શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનનાં મોકા પર પુતિનને પીએમ મોદીના સંદેશ વિષે પૂછવામાં આવ્યું ત્યારે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં સામેલ જોન કીર્બીએ કહ્યું કે મને લાગે છે કે તમે જે ઉઝ્બેકિસ્તાનમાં ભારત અને ચીનના નેતાઓના સંદેશ સાંભળ્યા, તેનાથી એ સ્પષ્ટ સંકેત મળે છે કે પુતિન યુક્રેનમાં જે કંઈપણ કરી રહ્યા છે, તેના પ્રત્યે કોઈપણ દેશની સહાનુભુતિ નથી.
કીર્બીએ આગળ કહ્યું કે પુતિન ખુદને આંતરરાષ્ટ્રીય સમુદાયથી અલગ કરી રહ્યા છે. અમને વિશ્વાસ નથી કે યુક્રેનમાં જે કંઈપણ થઇ રહ્યું છે, ત્યાર બાદ હવે રશિયા સાથે પહેલાની જેમ વેપાર કરવાનો સમય બચ્યો છે.
અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લીંકને કહ્યું કે ભારત અને ચીન બંનેએ જે જણાવ્યું છે, તે દુનિયાભરની ચિંતાનો વિષય દર્શાવે છે. તેમણે કહ્યું કે યુક્રેન પર રશિયાના આક્રમણને લઈને તમે જે ભારત અને ચીન પાસેથી સાંભળી રહ્યા છો, તે દુનિયાભરની ચિંતા દર્શાવે છે.
PM મોદીએ રશિયાને ભણાવ્યો શાંતિનો પાઠ
પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી. અમે આ મુદ્દા પર તમારી સાથે ઘણી વખત ચર્ચા કરી છે. લોકતંત્ર, કુટનીતિ અને સંવાદનાં માધ્યમથી સમાધાન મળી શકે છે. આના પર પુતીને કહ્યું કે તેઓ યુક્રેન સંઘર્ષ પર પીએમ મોદીનાં સ્ટેન્ડ અને ચિંતાઓ જાણે છે. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે આ બધું જલ્દી જ પૂરું થઇ જાય. પરંતુ યુક્રેને નેતૃત્વની વાતચીત પ્રક્રિયામાં સામેલ થવાથી ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ યુદ્ધના મેદાન પર પોતાના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માંગે છે.
જણાવી દઈએ કે રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ બાદ પણ ભારત દ્વારા રશિયા પાસેથી સસ્તો માલ ખરીદવાનું કાયમ છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ભારતે પોતાના લોકોનાં હિતોને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો છે.