પીએમ મોદી પાંચ રાજ્યોમાં ચૂંટણી માટે ધમાકેદાર પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે આસામમાં પીએમ મોદીએ સેક્યુલરીઝમ પર જોરદાર હુમલો કર્યો છે.
આસામમાં મોદીની ચૂંટણીસભા
આસામનુ અપમાન સહન નહીં કરાયઃPM
આસામના વિકાસ માટે કટિબદ્ધઃ PM
આસામમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આજે પીએમ મોદી તામુલપુરમાં પહોંચ્યા છે જ્યાં તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે બંને ચરણમાં નક્કી થઈ ગયું છે કે આસામમાં ફરી વાર NDAની સરકાર બનવા જઈ રહી છે. આસામ બાદ પીએમ મોદી પશ્ચિમ બંગાળ પણ પહોંચવાના છે.
સેક્યુલરીઝમ પર જોરદાર હુમલો
સેક્યુલરીઝમ પર કટાક્ષ કરતાં PM મોદીએ કહ્યું કે દેશમાં કેટલાક લોકો એવી વાતો ચલાવી રહ્યા છે જો સમાજમાં ભેદભાવ કરીને સમાજના ટુકડા કરીને પોતાના વૉટબેંક માટે કઈં આપો તો દુર્ભાગ્ય તો જુઓ આ વસ્તુને દેશમાં સેક્યુલેરીઝમ કહેવામાં આવે છે. પરંતુ જો અમારા જેવા બધા માટે કામ કરે, ભેદભાવ ન કરે, વિકાસ બધાને આપીએ તો અમે સાંપ્રદાયિક. સેક્યુલરીઝમ- કમ્યુનલિઝમની આ રમતે દેશનું બહુ નુકસાન કરી નાંખ્યું છે. અમે પરિશ્રમ કરનારા લોકો છીએ.
અમે લોકો પરિશ્રમ કરનારા : મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમે લોકો પરિશ્રમ કરનારા લોકો છીએ. સમાજની સેવા માટે દિવસ રાત લાગેલા લોકો છીએ. અમે વિકાસ માટે ઈમાનદારીથી કામ કરનારા લોકો છીએ. આસામના લોકોએ આજે જોઈ રહ્યા છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ એ મારી નીતિ પણ અને નિયત પણ છે.
આસામનું અપમાન કરનારાને પ્રજા માફ નહીં કરે : મોદી
પીએમ મોદીએ કહ્યું કે અમે જ્યારે પણ કોઈ યોજના બનાવીએ છે ત્યારે દરેક ક્ષેત્રના લોકોને ભેદભાવ અને પક્ષપાત વગર યોજનાનો લાભ માટે માટે અમે મહેનત કરીએ છે. જો અમે કોઈ પણ ભેદભાવ વગર કામ કરીએ તો અમે સાંપ્રદાયિક છીએ. સેક્યુલરીઝમની રમતે દેશનું ખૂબ નુકસાન કર્યું છે. આસામનો વિકાસ લોકો વચ્ચે કનેક્ટિવિટી વધારી રહ્યો છે. આસામમાં વિકાસ થઈ રહ્યો છે અને યુવાનો માટે અવસર ઊભા થઈ રહ્યા છે. આસામની ઓળખાણનું અપમાન કરનારા લોકોને આ પ્રજા માફ નહીં કરે. આસમાને હિંસામાં નાંખી દેનાર લોકોને પ્રજા ક્યારેય સ્વીકાર નહીં કરે.