પીએમ મોદીએ આજે હરિયાણામાં કોંગ્રેસ નેતા સામ પિત્રોડા પર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના એક મોટા નેતાએ કહ્યું કે, 84નું રમખાણ થયું તો થયું. આ નેતા ગાંધી પરિવાવના સૌથી નજીકના છે અને કોંગ્રેસના નામદાર અધ્યક્ષના ગુરુ છે.
ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, 84માં હજારો શીખોની હત્યા કરાઇ. શીખ ભાઇ-બહેનોએ ઘર છોડવું પડ્યું હતું. ત્યારે કોંગ્રેસના નેતા કહે છે કે, 84 રમખાણ થયા તો થયા. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ અંહકારી પાર્ટી છે. કોંગ્રેસને ગત ચૂંટણીમાં 44 સીટ મળી હતી તેના કરતા ઓછી સીટો આ વખતે મળશે.
#WATCH: PM Narendra Modi to ANI on Sam Pitroda's remarks on 1984 riots, "Reflects Congress's mentality. Rajiv Gandhi had said 'when a big tree falls earth shakes'. They even made Kamal Nath incharge of Punjab, now made him MP CM. So don't take this as an individual's statement" pic.twitter.com/V3MOJZMQYe
વડપ્રધાને મોદીએ કહ્યું કે, આ બાબતમાં કોંગ્રેસની માનસિકતા ખબર પડે છે. રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે એક વૃક્ષ પડે છે તો ધરતી હલવા લાગે છે. PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસે કમલનાથને પંજાબના પ્રભારી બનાવ્યા હતા અને હવે તેમને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બનાવી દીધા. આ કોઇ એક વ્યક્તિનું નિવેદન નથી.
વડાપ્રધાન છેલ્લા કેટલાક સમયથી રાજીવ ગાંધીનો પણ કરી રહ્યા છે ભાષણમાં ઉલ્લેખ
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુને વધુ ધારદાર બની રહ્યું છે. આજે મોડી સાંજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વડાપ્રધઆન રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા.
રાજીવ ગાંધી INS વિરાટનો અંગત વપરાશ કર્યો હોવાનું પણ કર્યો હતો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે, રાજીવ ગાંધી INS વિરાટમાં પોતાના પરિવારજનો સાથે રજાઓ મનાવવા ગયા હતા. વડાપ્રધાન મોદીએ સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે, રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા.