પ્રધાનમંત્રી મોદીની આજે એટલે કે, સોમવારે પંજાબના જાલંધરમાં ચૂંટણી રેલી છે. ફિરોઝપુરમાં સૂરક્ષા ચૂક બાદ તેઓ પહેલી વાર પંજાબ જઈ રહ્યા છે.
ફિરોઝપુરમાં સુરક્ષાચૂક બાદ ફરી વાર પંજાબ જશે પીએમ મોદી
આજે જાલંધરમાં ચૂંટણી સભાને કરશે સંબોધન
સુરક્ષા માટે ચૂસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી
પ્રધાનમંત્રી મોદીની આજે એટલે કે, સોમવારે પંજાબના જાલંધરમાં ચૂંટણી રેલી છે. ફિરોઝપુરમાં સૂરક્ષા ચૂક બાદ તેઓ પહેલી વાર પંજાબ જઈ રહ્યા છે. તેમની રેલી માટે પંજાબ આર્મ્ડ પોલીસના ગ્રાઉન્ડમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીએમ બપોર લગભગ પોણા ચાર વાગ્યાની આસપાસ રેલીને સંબોધન કરી શકે છે. આ અગાઉ તેઓ વર્ચુઅલ રેલી કરી ચુક્યા છે. 16 ફેબ્રુઆરીએ પઠાણકોટ અને 17 ફેબ્રુઆરીએ અબોહરમાં પણ રેલી કરશે.
આ વખતે કડક સુરક્ષાવ્યવસ્થા
પીએમની સુરક્ષાને લઈને આ વખતે પંજાબ સરકાર એકદમ સતર્ક થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન બોર્ડથી અડીને આવેલા પંજાબ પોલીસના ઈંટેલિજેંસ વિંગે આર્મીની પણ મદદ માગી છે. આર્મી પાસેથી બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ ટીમની માગ કરવામાં આવી છે.
ડ્રોનથી રાખવામાં આવશે નજર
તો વળી ડ્રોનના ખતરાને જોતા સંબંધિત ઈક્વિપમેંટ્સ લગાવાનું પણ કહેવામાં આવ્યું છે. તમામ અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, પીએમ માટે બ્લૂ બુકના હિસાબથી સુરક્ષા કરવામા આવે. તો વળી જાલંધર, પઠાણકોટ અને ફાઝિલ્કાના DC ને સમગ્ર વ્યવસ્થા જોવા માટે કહેવામાં આવ્યું છે. રેલી સ્થળ પર 3 ADGP તૈનાત રહેશે.
આદમપુર પહોંચશે પીએમ, હેલીકોપ્ટરથી આવશે રેલીમાં, રોડ માર્ગ પણ તૈયાર
પીએમ મોદી દિલ્હીથી સીધા આદમપુર પહોંચશે.અહીંથી તેમનો કાર્યક્રમ હેલીકોપ્ટર દ્વારા સીધો રેલીમાં આવવાનો છે. જો કે, કોઈ એવી સ્થિતીમાં જો તેમને રોડ માર્ગે જવાનું થાય તો, તૈયારી કરી રાખી છે. પીએમ માટે બુલેટપ્રુફ વાહનની પણ વ્યવસ્થા કરી રાખવામાં આવી છે. આ દરમિયાન ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.