દુનિયાભરમાં કહેર વરસાવી રહેલા કોરોના વાયરસ (Coronavirus)એ ભારતમાં એન્ટ્રી કરી છે. મંગળવારે દિલ્હી, નોઇડા અને આગ્રામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. હવે આ મામલે કેન્દ્ર સરકાર પૂર્ણ રીતે એક્ટિવ થઇ ગઇ છે. પીએમ મોદીએ આ મામલે એક બેઠક કરી અને દેશવાસીઓને વિશ્વાસ અપાવ્યો કે ગભરાવાની જરૂર નથી, બસ કેટલીક સાવચેતી રાખવાની જરુર છે.
કોરોના વાયરસને લઇને PM મોદીએ ટ્વિટ કર્યું
કોરોના વાયરસનો સામનો કરવા માટે સરકારે બેઠક કરી
પીએમ મોદીએ કેવી રીતે સાવધાની રાખવી તે જણાવ્યું
મંગળવારે પીએમ મોદીએ ટ્વિટ કર્યું, કોરોના વાયરસને લઇને તૈયારીનો તેઓએ રિવ્યૂ કર્યો છે. ઘણા મંત્રાલય અને રાજ્ય આ મામલા પર એક સાથે કામ કરી રહા છે. ભારત આવી રહેલા લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે અને તમામ મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે ગભરાવાની જરૂર નથી. પરંતુ આપણે તેનાથી લડવા માટે એક સાથે કામ કરવુ પડશે. તમામ લોકોએ કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ ઉઠાવવા પડશે જેથી સાવધાની રાખી શકાય.
There is no need to panic. We need to work together, take small yet important measures to ensure self-protection. pic.twitter.com/sRRPQlMdtr
પીએમ મોદીએ પોતાના આ ટ્વીટની સાથે કેટલીક સલાહ પણ આપી, વાયરસને જોતા આ સાવચેતી જરુર રાખવી.
વારંવાર હાથ ધોવાની જરુર છે
જાહેર જગ્યાઓ પર જવાથી બચવુ જોઇએ
આંખ-નાક-મોં ને સ્પર્શ કરવાથી બચવું
તાવ-ખાંસી-શ્વાસ લેવામાં તકલીફ થાય તો જલ્દી જ ડૉક્ટરનો સંપર્ક કરવો
રાહુલ ગાંધીએ દર્શાવી ચિંતા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મંગળવારે કોરોના વાયરસને લઇને ચિંતા વ્યક્ત કરી. રાહુલે લખ્યું કે એક સમય હોય છે જ્યારે દેશના નેતૃત્વની પરીક્ષા થાય છે. એક સાચ્ચો નેતા કોરોના વાયરસ અને અર્થવ્યવસ્થાના મોરચે ફોક્સ કરશે.
નોંધનીય છે કે મંગળવારે ઉત્તર પ્રદેશના નોઇડા અને આગ્રામાં કોરોના વાયરસને લઇએ હડકંપ મચી ગયો. આગ્રામાં 6 લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. જેમને સારવાર માટે દિલ્હી લાવવામાં આવી રહ્યા છે.