પંજાબ નેશનલ બેંકમાં 13000 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીની મંગળવારે લંડનમાં ધરપકડ થઈ હતી. લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં નીરવ મોદીને બુધવારે રજૂ કરવામાં આવ્યો જ્યાં મોદીએ જમાનત માટે અરજી કરી પરંતુ કોર્ટે નીરવ મોદીની અરજી રદ્દ કરતા તેને 29 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકી દેવાનો આદેશ કરી દીધો. જો કે જમાનત મેળવવા માટે નીરવ મોદીએ કોર્ટમાં ખૂબ દલીલો કરી પરંતુ કોર્ટે તેની એક ન માનીને આખરે પોલીસ હિરાસતમાં મોકલવાનો નિર્ણય કર્યો.
એક ખબર અનુસાર, નીરવ મોદીએ લંડનની કોર્ટમાં જમાનત મેળવા માટે એ પણ બતાવ્યું કે તે અહીં નોકરી કરી છે અને પોતાની વાત સાબિત કરવા માટે નીરવે પોતાની 20000 પાઉન્ડની એટલે કે આશરે મહિને 18 લાખ રૂપિયાની સેલર સ્લિપ પણ બતાવી હતી.
એટલું જ નહીં નીરવ મોદીએ કોર્ટમાં પોતાની જમાનત મેળવવા માટે 5 લાખ પાઉન્ડ એટલે કે આશરે 4.5 કરોડ રૂપિયા જમા કરાવવાની ઑફર પણ આપી હતી અને તેમ પણ કહ્યું હતું કે તે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે. પરંતુ લંડનની કોર્ટે કોઈ વાત ન સાંભળતા નીરવ મોદીને સ્કૉટલેન્ડ યાર્ડ પોલીસની કસ્ટડીમાં મોકલી દીધો. નીરવ મોદીએ જેલ જવાથી બચવા માટે કોર્ટને જણાવ્યું કે અહીં તે ટૅક્સ ભરે છે અને પોતાનો નેશનલ ઇન્સ્યોરન્સ પણ કોર્ટને બતાવ્યો. નીરવે જણાવ્યું કે ગયા વર્ષે જાન્યુઆરીમાં લંડનમાં આવ્યો હતો અને તે વખતે તેના પર કોઈ આરોપ ન હતો. ભારતના પ્રત્યાર્પણની કોશિશો પર નીરવ મોદીએ કહ્યું કે તે કાયદેસર રીતે બ્રિટનમાં રહે છે.