સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં શનિવાર એનડીએની સંસદીય દળની બેઠક યોજાઇ હતી. જેમાં સર્વસંમતિથી પીએમ નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. ભાજપ અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો, જેના પર તમામ સભ્યોએ સર્વસંમતિથી સમર્થન આપ્યું.
સંસદમાં મોદીનું સંબોધન
ત્યાર બાદ પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પ્રચંડ જનાદેશ જવાબદારીઓને વધારે છે. કહેવત છે ને કે ચૂંટણી અંતર બનાવે છે, દીવાલ બનાવી દે છે. પરંતુ 2019ની ચૂંટણીએ દીવાલ તોડી દીધી છે. આ ચૂંટણી સામાજીક એકતાનું આંદોલન બની ગયું છે. તેમણે કહ્યું ક જનપ્રતિનિધિ માટે કોઇ ભેદ ન હોઇ શકે. તેનો બદલો લેવાનો હક નથી હોતો. તે સૌ માટે સમાન હોય છે.
#WATCH PM Narendra Modi addressing NDA Parliamentary meet says, "Media ke logo ko bhi pata hota hai ki 6 namune hain, vaha subah pahoch jayo, gate ke bahar khade raho, nikal ke kuchh to bolega." pic.twitter.com/dTtzu9uz6M
— ANI (@ANI) May 25, 2019
પીએમએ કહ્યું કે, વિશ્વાસની દોર જ્યારે મજબૂત હોય છે તો પ્રો-ઇન્કમ્બન્સી લહેર ઉભી થાય છે. આ ચૂંટણી પોઝિટીવ મતની ચૂંટણી છે. ફરીથી સરકાર લવવાની છે, કામ આપવાનું છે, જવાબદારી લેવાની છે. આ સકારાત્મક વિચારથી આટલો મોટ જનાદેશ આપ્યો છે. પીએમએ કહ્યું કે, 2014માં ભાજપને જેટલા મત મળ્યા અને 2019માં જે મત મળ્યા, તેમાં વધારો થયો છે, જે અંદાજિત 25 ટકા છે. પરંતુ ગ્લોબલ પરિદૃશ્યમાં જોઇએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને જેટલા મત મળ્યા હતા, એટલું આપણું ઇન્ક્રીમેન્ટ છે.
પીએમએ આપી સલાહ
ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે આઝાદી બાદ આ વખતે સૌથી વધુ મહિલાઓ સંસદમાં જીતીને આવી છે. તેમણે નવા અને જૂના સાંસદોને નિંદા કરતા નિવેદનો સિવાય અહંકારથી બચવાની સલાહ આપી. તેમણે કહ્યું ન્યૂઝ પેપરમાં છપાવા અને ટીવીમાં દેખાવાથી બચવું જોઇએ. જો આનાથી બચીને ચાલશો તો બહું બધુ થઇ શકે છે.
પીએમએ હોલમાં હાજર તમામ સાંસદો અને નેતાઓને કહ્યું, કે દિલ્હી આવીને સારા સારા ફંસાઇ જાય છે. કોઇ પણ મંત્રી બનવાના નામ પર ઘમંડમાં ન આવે. વીઆઇપી કલ્ચરથી બચીને રહેવાની પણ જરૂર છે.
પીએમ મોદીએ કહ્યું કે એનડીએની પાસે બે જરૂરી વસ્તુ છે, પહેલુ એનર્જી અને બીજુ સિનર્જી. આ એનર્જી એક એવું કેમિકલ છે, જેને લઇને આપણે સશક્ત અને સામર્થ્યવાન થયા છીએ, જેને લઇને આપણે આગળ ચાલવાનું છે.