પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. શનિવાર રાત્રે સાડા આઠ કલાકે તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
જોકે નવી સરકારના શપથ ગ્રહણની તારીખ હજુ નક્કી નથી થઇ. પીએમ મોદીએ કહ્યું કે સરકાર બનાવવાની તારીખ નક્કી થતા જ રાષ્ટ્રપતિને સૂચના આપી દેવાશે. ત્યાર બાદ પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે નવી જવાબદારીની સાથે લોકોની અપેક્ષાઓ વધી ગઇ છે. તેમણે કહ્યું કે તેમની સરકાર ઝડપી કામ કરશે. સરકાર નવા મિજાજથી કામ કરશે.
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો
એનડીએ નેતાઓ દ્વારા રાષ્ટ્રપતિને સમર્થન પત્ર સોંપાયા બાદ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મળીને સરકાર બનાવવાનો દાવ રજૂ કર્યો.
Rashtrapati Bhavan: The President requested Narendra Modi to advise him about the names of others to be appointed members of the Union Council of Ministers; and to indicate the date and time of the swearing-in-ceremony to be held at Rashtrapati Bhavan https://t.co/e0NlkaIA9s
NDAએ રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો
એનડીએ દ્વારા રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. રાત્રે લગભગ સાડા આઠ કલાકે ભાજપ અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં એનડીએના નેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને તેમણે સરકાર બનાવવાનું સમર્થન પત્ર સોંપ્યું. અમિત શાહની સાથે શિરોમણી અકાળી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ, રાજનાથસિંહ, નીતીશ કુમાર, રામવિલાસ પાસવાન, સુષમા સ્વરાજ, ઉદ્ધવ ઠાકરે, નિતિન ગડકરી, કે.પલાનીસ્વામી, કોનાર્ડ સંગમા, નિફિયો રિયો સામેલ હતા.
The delegation handed over to the President a letter stating that Narendra Modi had been elected leader of the BJP Parliamentary Party. Letters of support from NDA constituent parties were also handed over to the President https://t.co/eZzb8fuq9t
સંસદ ભવનમાં મોદીનું સંબોધન
ત્યાર બાદ પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પ્રચંડ જનાદેશ જવાબદારીઓને વધારે છે. કહેવત છે ને કે ચૂંટણી અંતર બનાવે છે, દીવાલ બનાવી દે છે. પરંતુ 2019ની ચૂંટણીએ દીવાલ તોડી દીધી છે. આ ચૂંટણી સામાજીક એકતાનું આંદોલન બની ગયું છે. તેમણે કહ્યું ક જનપ્રતિનિધિ માટે કોઇ ભેદ ન હોઇ શકે. તેનો બદલો લેવાનો હક નથી હોતો. તે સૌ માટે સમાન હોય છે.
પીએમએ કહ્યું કે, વિશ્વાસની દોર જ્યારે મજબૂત હોય છે તો પ્રો-ઇન્કમ્બન્સી લહેર ઉભી થાય છે. આ ચૂંટણી પોઝિટીવ મતની ચૂંટણી છે. ફરીથી સરકાર લવવાની છે, કામ આપવાનું છે, જવાબદારી લેવાની છે. આ સકારાત્મક વિચારથી આટલો મોટ જનાદેશ આપ્યો છે. પીએમએ કહ્યું કે, 2014માં ભાજપને જેટલા મત મળ્યા અને 2019માં જે મત મળ્યા, તેમાં વધારો થયો છે, જે અંદાજિત 25 ટકા છે. પરંતુ ગ્લોબલ પરિદૃશ્યમાં જોઇએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને જેટલા મત મળ્યા હતા, એટલું આપણું ઇન્ક્રીમેન્ટ છે.