પીએમ મોદીના આ ધ્યાને સમગ્ર દુનિયાભરમાં ચર્ચા થઇ હતી અને કેદારનાથની આ સ્પેશિયલ ગુફા ચર્ચામાં આવી ગઇ હતી. ચર્ચા એટલી કે હવે ધ્યાન માટે આ ગુફા હાઉસફુલ થઇ ગઇ છે.
કેદારનાથમાં હાઉસફુલ થઇ 'ધ્યાન ગુફા'
ચૂંટણી દરમિયાન PM મોદીએ ધર્યું હતું ધ્યાન
ઓક્ટોબર સુધી બુકિંગ પૂર્ણ થયું.
લોકસભા ચૂંટણી 2019ના પરિણામો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથની એક ગુફામાં ધ્યાન ધર્યું હતું. પીએમ મોદીનું આ ધ્યાન દુનિયાભરમાં ચર્ચામાં રહ્યું હતું. ઓક્ટોબર 2019 સુધીનું સમગ્ર બુકિંગ થઇ ગયું છે, એટલે કે હવે કેદારનાથમાં આ ગુફા હવે સ્પેશિયલ ટૂરિઝ્મ પોઇન્ટ બની ગઇ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 મે કેદારનાથ મદિરમાં દર્શન કર્યા બાદ એક ગુફામાં ધ્યાન કરવા ગયા હતા. પ્રધાનમંત્રીએ આખી રાત આ ગુફામાં વિતાવી હતી. ત્યારબાદથી આ ગુફામાં જનાર લોકોની સંખ્યા વધી ગઇ, છેલ્લા 65 દિવસમાં અહીંયા 46 શ્રદ્ધાળુ ધ્યાન લગાવી ચુક્યા છે અને હજુ પણ ઓક્ટોબર સુધી ગુફામાં ધ્યાન કરનાર લોકોનું બુકિંગ ફુલ ચાલી રહ્યું છે.
ગઢવાલ મંડળ વિકાસ નિગમ અનુસાર, અત્યાર સુધી આ ગુફા દ્વારા એમને 95 હજારની આવક પ્રાપ્ત થઇ છે. અહીંયા રાત્રી પ્રવાસ માટે 1500 રૂપિયા અને દિવસભર માટે 990 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
સાધના કરવા બેઠા હતા પીએમ મોદી
18 મે ની સાંજે પ્રધાનમંત્રી આ ગુફામાં પહોંચ્યા હતા, 19 મે ની સવારે 7 વાગ્યે પીએમ ગુફાથી બહાર નિકળ્યા અને પછી કેદારનાથ ધામમાં દર્શન કરવા માટે ગયા. જણાવી દઇએ કે 19 મે લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે મતદાન થવાનું હતું અને 17 મે ને પ્રચાર અટકી ગયો હતો. ત્યારબાદ પીએમ મોદી કેદારનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા અને બાદમાં ગુફામાં ધ્યાન ધરવા પહોંચ્યા હતા.
દરિયાની સપાટીથી 12 હજાર ફીટની ઊંચાઇ પર આવેલી આ ગુફામાં વાઇ ફાઇ, ફોન અને બેડની વ્યવસ્થા છે. આ કારણ રહ્યું હતું કે પ્રધાનમંત્રીના ગયા બાદ આ ખૂબ ચર્ચામાં આવી ગઇ હતી, ગુફામાં ધ્યાન લગાવતો પ્રધાનમંત્રીનો પઠો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.