આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સક્રિય થયુ છે.. ગુજરાતમાં જીત માટે બન્ને પક્ષો એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીને લઈને નવા સમીકરણો સામે આવ્યા છે. પીએમ મોદી આગામી લોકસભા ચૂંટણી વડોદરાની બેઠક પરથી લડવાને બદલે રાજકોટ બેઠકથી ચૂંટણી લડી શકે છે. મહત્વનું છે કે વડોદરાની જગ્યાએ રાજકોટને AIIMS હોસ્પિટલ આપવામાં આવી છે. રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ મળ્યું છે. સાથે જ રાજકોટ- મોરબી ફોર લેન રોડને પણ મંજૂરી આપવામાં આવી છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર તરફથી રાજકોટને અનેક ભેટ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમા આવતા ભાજપ રાજકોટમાં સક્રિય થયું છે. હવે રાજકોટની બેઠક ભાજપ માટે ગઢ સમાન બની છે.
મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો પર જીત મળી ન હતી. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં જીત મેળવવા માટે પીએમ મોદી રાજકોટની લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
ECની ચૂંટણીની તૈયારીઓ
લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી પંચે અત્યારથી જ તૈયારીઓ કરી લીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે તૈયારીના ભાગરૂપે મુખ્ય ચૂંટણી પંચે પોલીસ અને મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે અને 28 ફેબ્રુઆરી સુધીમાં તમામ કાર્યો પૂર્ણ કરવા માટે સૂચન આપ્યું છે. મહત્વનું છે કે 28 ફેબ્રુઆરી બાદ કોઈપણ પ્રકારની બદલીઓ થઈ શકશે નહીં.