પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી જીત્યા પછી પોતાના બીજા કાર્યકાળમાં રવિવારે 'મન કી બાત' કાર્યક્રમથી દેશની જનતાને સંબોધિત કરી.
આ દરમિયાન તેમણે કહ્યુ કે, ''આ કાયક્રમ લગભગ ચાર મહિના બંધ રહ્યો. લાંબા સમય પછી તમારી સાથે સંવાદ કરી રહ્યો છું.'' આ કાર્યક્રમમાં પીએમ એ સ્વચ્છતા, જલ સંરક્ષણ અને યોગ વગેરે મુદ્દા પર વાત કરી, તેમણે જલ સંરક્ષણ પર ભાર આપતા જનતાની અનુરોધ પણ કર્યા.
- જે રીતે દેશવાસીઓએ સ્વચ્છતાને લઇને એક જન આંદોલનનુ રૂપ આપ્યુ, તે રીતે જળ સંરક્ષણ માટે એક જન આંદોલનની શરૂઆત કરવી પડશે.
- દેશમાં પાણી સંરક્ષણ માટે ઘણા પારંપરિક રીતોનો ઉયપોગ કરવામાં આવે છે. પાણી સંરક્ષણના આ પારંપરિક રીતે એકબીજાને જણાવો.
- જો તમે પાણી સંરક્ષણ માટે કામ કરતા કોઇ પણ વય્કિત કે ગેર સરકારી સંગઠન વિશે જાણો છો, તો લોકોને તે વિશે જણાવો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળના પહેલા મન કી બાત કાર્યક્રમમા કહ્યુ કે,'' મને ભારતની જનતા પર વિશ્વાસ હતો કે તેઓ મને ફરી પરત લાવશે.''
PM મોદીએ કાર્યક્રમમાં કરી આ વાત:
PM મોદીએ 'મન કી બાત' ની શરૂઆત કરતા કહ્યુ કે, મારા પ્યારા દેશવાસીઓ, નમસ્કાર. લાંબા સમય પછી ફરી એક વખત તમારી સૌની વચ્ચે મન કી બાત, જન કી બાત, જન જન કી બાત, જન મન કી બાત કાર્યક્રમની પરંપરા શરૂ કરીએ છીએ. ચૂંટણીમાં વ્યસ્તતા ઘણી હતી પરંતુ મન કી બાતને ઘણું યાદ કરતો હતો. વચ્ચેનો જે સમય ગયો તે ઘણો જ કઠીન હતો. જ્યારે મન કી બાત કરું છું તો અવાજ મારો જ છે પરંતુ વાત તમારી છે, પરાક્રમ તમારું છે. એક વખત તો મન થયું કે ચૂંટણી પૂર્ણ થતાં જ તમારી સાથે વાત કરું, પરંતુ પછી રવિવારે જ વાત કરવાનું મન થયું. આ રવિવારે ઘણી રાહ જોવડાવી.''
- "ઘણાં લોકોએ કહ્યું હતું કે, જ્યારે મેં કહ્યું આપણે હવે ત્રણ-ચાર મહિના બાદ મળીશું , ત્યારે લોકોએ તેના પણ રાજકીય અર્થ કાઢ્યા હતા અને લોકોએ કહ્યું કે, અરે! મોદીજી કેટલો આત્મવિશ્વાસ છે, તેમને વિશ્વાસ છે. પરંતુ હું કહેવા માંગીશ કે આ મારો વિશ્વાસ હતો. આત્મવિશ્વાસ મોદીનો ન હતો, આ વિશ્વાસ તમારા વિશ્વાસના આધારનો હતો. વાસ્તવિકતામાં હું નથી આવ્યો, તમે મને લાવ્યા છો. તમે મને બેસાડ્યો અને તમે જ મને ફરી એક વાર બોલવાની તક આપી છે.
તમને જણાવી દઇએ કે, PM મોદી જાપાનના ઓસાકામાં આયોજિત G20 શિખર સમ્મેલમાં ભાગ લીધા પછી શનિવારે પરત ફર્યા હતા. આ સમ્મેલનના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી મોદીએ ઘણા દેશેના નેતાઓ સાથે મુલાકાત કરી. PMએ ઓસાકામાં બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે બેઠક કરી. આ સમ્મેલનમાં વેપાર, પર્યાવરણ, આતંકવાદ અને ભષ્ટ્રાચાર વિરોધ મુદ્દાની વાત કરવામાં આવી હતી.
- "અનેક સંદેશાઓ ગત મહિને આવ્યાં, જેમાં લોકોએ કહ્યું કે તેઓ મન કી બાતને યાદ કરી રહ્યાં છે. જ્યારે હું વાંચુ છું, સાંભળું છું મને સારું લાગે છે. હું આત્મીયતા અનુભવું છું.''
- ''મને ઘણાં લોકોએ પૂછ્યું કે તમે કેદારનાથ કેમ જતા રહ્યાં હતા? ચૂંટણીની વ્યસ્તતામાં હું જતો રહ્યો હતો. અનેક લોકોએ તેના રાજકીય અર્થ કાઢ્યા. પરંતુ હું ત્યારે મારી જાતને મળવા ગયો હતો. 'મન કી બાત'ના કારણે જે ખાલીપણું હતું તેને કેદારનાથની ખાલી ગુફાએ ભરવાની તક આપી."
- લોકસભા ચૂંટણીમાં 61 કરોડથી વધારે લોકોએ મતદાન કર્યુ. 61 કરોડ-આ સંખ્ય સામાન્ય લાગી શકે પરંતુ દુનિયાની નજરથી કહુ તો એક ચીનને છોડીને માત્ર ભારતમાં દુનિયાના કોઇ પણ દેશની વસ્તી કરતા વધારે મતદાન કર્યુ હતુ. 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણી હતી.
-મને એક વાત માટે તમારો અને દુનિયાના લોકોને આભાર વ્યકત કરવો છે. 21 જૂનના ફરી એક વખત યોગ દિવસમાં ઉમંગની સાથે, એક-એક પરિવારના 3-4 પેઢીઓ, એક સાથે યોગ દિવસ ઉજવ્યો. યોગ ક્ષેત્રમાં યોગદાન માટે Prime Minister’s Awards ની જાહેરાત, મારા માટે એક મોટા સંતોષની વાત હતી. આ પુરસ્કાર દુનિયાભરમાં ઘણા સંગઠનોને આપ્યુ. જાપાન યોગ નિકેતન, ઇટલીમાં Ms. Antonietta Rozzi ને , બિહાર યોગ વિદ્યાલય, મુંગેર તથા અન્ય સંસ્થાઓને Prime Minister’s Awards થી સન્માનિત કરવામાં આવ્યા.