પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 વાગે 'મન કી બાત' કરશે. આ કાર્યક્રમ લગભગ 4 મહિના પછી ફરી શરૂ થશે.
ફરી પ્રધાનમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી આ પહેલી વખત 'મન કી બાત' કરશે. 24 ફેબ્રુઆરીએ 'મન કી બાત'માં તેમણે માર્ચ અને એપ્રિલમાં કાર્યક્રમ રોકવા વિશે વાત કરી હતી.
તમને જણાવી દઇએ કે, PM મોદી જાપાનના ઓસાકામાં આયોજિત G20 શિખર સમ્મેલમાં ભાગ લીધા પછી શનિવારે પરત ફર્યા હતા. આ સમ્મેલનના છેલ્લા દિવસે પ્રધાનમંત્રી મોદીએ ઘણા દેશેના નેતાઓ સાથે મુલાકાત કરી. PMએ ઓસાકામાં બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે બેઠક કરી. આ સમ્મેલનમાં વેપાર, પર્યાવરણ, આતંકવાદ અને ભષ્ટ્રાચાર વિરોધ મુદ્દાની વાત કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી રાષ્ટ્રિય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ફરી સત્તામાં પરત આવ્યુ છે. 30 મેના નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદ માટે શપથ ગ્રહણ કર્યા હતા. આ પહેલા તેમના શાષણકાણમાં 53 વખત 'મન કી બાત' કાર્યક્રમની મદદથી રાષ્ટ્રને સંબોધિત કર્યુ હતુ.
છેલ્લી વખત જ્યારે આ પ્રોગ્રામ સંબોધિત કર્યો ત્યારે PM મોદીએ સ્વસ્થ લોકતાંત્રિક પરંપરાઓને ધ્યાનમાં રાખીને આ પ્રોગ્રામને થોડા સમય માટે રોકવાની વાત કરી હતી.
After four long months, #MannKiBaat is back to do what it has always loved- celebrate the power of positivity and the strengths of 130 crore Indians!
તો હવે PM મોદીએ ટ્વીટ કરીને 'મન કી બાત' ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ લખ્યું કે, ''સકારાત્મકતાની શક્તિ અને 130 કરોડ ભારતીયોની તાકાતનો ઉત્સવ મનાવવા માટે ચાર મહિના બાદ મન કી બાત ફરી પરત આવી રહ્યો છે. કાલે સવારે 11 વાગ્યે સાંભળજો.''
પોતાના અંતિમ 'મન કી બાત'માં પીએમ મોદીએ કહ્યું હતું કે, ''માર્ચમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. હું પણ આ વખતે ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જઈ રહ્યો છું. એવામાં જ્યારે આચાર સંહિતા લાગુ થશે તો મ'ન કી બાત નહીં' કરી શકું. લોકતંત્રનું સન્માન કરતાં આગામી 'મન કી બાત' મે મહિનાના અંતિમ રવિવારે કરીશ.''