પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કરે છે.
પીએમ મોદીએ કરી મન કી બાત
મન કી બાતનો 92મો એપિસોડ રજૂ થયો
જોઈ લો આ એપિસોડમાં પીએમ મોદીએ કઈ વાત પર ભાર આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કરે છે. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો આ 92મો એપિસોડ હતો. રેડિયો કાર્યક્રમ મન કી બાતની શરૂઆત 2014માં થઈ હતી. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશમાં અમૃત મહોત્સવ ખૂબ હર્ષોલ્લાસ સાથે મનાવામાં આવી રહ્યો છે. દેશની જનતાએ તિરંગા યાત્રાને પણ સફળ બનાવી, આ સમયે દેશમાં અમૃત મહોત્સવની અમૃત ધારા વહી રહી છે.
પીએમ મોદીએ કહ્યુ કે, દેશભક્તિનો જુસ્સો લોકોમાં જોવા મળી રહ્યો છે. જ્યારે વાત દેશ પર આવે છે ત્યારે લોકો એકજૂટ થઈ જાય છે. મને અમૃત મહોત્સવ અને તિરંગા યાત્રાને લઈને કેટલાય પત્રો મળ્યા છે. પીએમ મોદીએ અંતમાં ગણેશ ચતુર્થી, ઓણમ જેવા તહેવારોનો પણ ઉલ્લેખ કરી શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું કે, આ પર્વની સાથે સાથે કાલ 29 ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ પર રાષ્ટ્રીય ખેલ દિવસ મનાવામા આવે છે. આપણા યુવા ખેલાડીઓ વૈશ્વિક મંચ પર આપણા તિરંગાની શાન વધારી રહ્યા છે. આ આપણી ધ્યાનચંદ્ર પ્રત્યે શ્રદ્ધાંજલિ હશે.
પીએમ મોદીએ કહ્યું કે, મેં 4 મહિના પહેલા અમૃત સરોવરની વાત કરી હતી. તેને લઈને જિલ્લા અને બ્લોક સ્તર પર તમામ લોકો કામે લાગ્યા હતા. જલ સર્વોત્તમ ઔષધિ અને પાલનહાર છે. તેલંગણામાં પણ એક સરોવરને અમૃત સરોવરા તરીકે વિકસીત કરવામા આવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, અમૃત સરોવરાના કારણે આજૂબાજૂના જળસ્તર વધ્યા છે. જાનવરોને પાણી મળી રહ્યા છે. તેમણે આ દરમિયાન તેલંગણાના વારંગલ, મધ્યપ્રદેશના મંડલા અને યુપીના લલિતપુરમાં બની રહેલા અમૃત સરોવરના ઉદાહરણ આપ્યા હતા.
90 ટકાથી વધારે બાળકોના કુપોષણ દૂર થયા
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આસામના બોંગાઈ ગામમાં રસપ્રદ પ્રોજેક્ટ ચલાવામાં આવી રહ્યો છે. આ નામ પ્રોજેક્ટ સંપૂર્ણા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય કુપોષણ વિરુદ્ધની લડાઈ છે. જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં સ્વાસ્થ બાળકોની માતા, કોઈ કુપોષિત બાળકોની માતા સાથે અઠવાડીયામાં એક વખત મળે છે. આ દરમિયાન તે પોષણ સંબંધિત જાણકારી શેર કરે છે. આના કારણે એક વર્ષમાં 90 ટકા બાળકોના કુપોષણ દૂર થયા છે.