લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર ચાલી રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત પ્રચાર કરી રહ્યા છે. મહારાષ્ટ્રના માઢામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા સંબોધિત કરી, જ્યાં તેમણે સૌથી પહેલા કુદરતી આપત્તિમાં પહોંચેલા નુકસાન પ્રત્યે પોતાની સંવેદના વ્યકત કરી અને સરકાર દ્વારા સંભવ મદદ કરવા માટેની જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ''અમે તમામ ઑફિસરોને મદદ કરવા માટે આદેશો આપી દીધા છે''
પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ''દેશને મજબૂત હોવુ જરૂરી છે અને આ માટે મજબૂત નેતા પણ જરૂરી છે. એક સમય હતો જ્યારે મુંબઇ આતંકવાદીઓ માટે સ્વર્ગ બની ગયુ હતુ, પરંતુ અમે ઘરમાં ઘુસીને મારવાનુ કામ કર્યુ.'' પ્રધાનમંત્રીએ પોતાની સભામાં કોંગ્રેસ પર એક ખાસ જાતિને ગાળો આપવાનો પણ આરોપ લગાવ્યો.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ''વિપક્ષ પાસે કોઇ મુદ્દો નથી, માત્ર 'મોદી હટાવો'ની વાત કરે છે. કોંગ્રેસના નામદાર મને ગાળો આપતા એક સમાજને ગાળો આપી રહ્યા છે, પહેલા તેઓ તમામ ચોકીદારને ચોર કહેતા હતા અને હવે કહી રહ્યા છે તમામ મોદી ચોર છે''
कांग्रेस के नामदार पूरे समाज को गाली देने में जुट गए हैं।
नामदार ने पहले चौकीदारों को चोर कहा और जब सारे चौकीदार मैदान में आएं,
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ''કોંગ્રેસના નામદાર મારા પછાત હોવાને નિશાનો બનાવી રહ્યા છે, તેઓ હંમેશાથી મારી ઔકાત બતાવી રહ્યા છે. હવે તેઓ તમામ પછાત સમાજને ચોર જણાવી રહ્યા છે અને ગાળો આપી રહ્યા છે પરંતુ મોદી આ વાત જરાય નહી ચલાવી લે.''
રેલીમાં PM મોદીએ કહ્યુ કે, ''આ રાજનીતિક દળોને આ બાબત મંજૂર નથી, પરંતુ હું તેમના સપના સફળ નહી થવા દઉ અને તેમની વચ્ચે દિવાલ થઇને ઉભો રહીશ, આજે દુનિયાના શક્તિશાળી રાષ્ટ્ર પણ ભારતની સાથે ખભાથી ખભા મેળવી ચાલવાનો ગર્વ અનુભવ કરી રહ્યા છે.''
PM મોદી બોલ્યા, આજે જનતા અને સરકાર એક સાથે છે. દેશની જનતા મોદીના હાથમાં દેશ આપવા માટે પોતે પ્રચાર કરી રહી છે, ''5 વર્ષમાં અમે કોઇ પણ ડાઘ વગર આ સરકાર ચલાવી છે, પરંતુ જૂઠુ બોલતા લોકોને રોકી ના શકાય.''
પ્રધાનમંત્રી બોલ્યા કે, ''શરદ પવાર મારા પરિવાર માટે સવાલ કરી રહ્યા છે, તેમણે આ પ્રકારે વાત કરવાનો હક છે. પરંતુ હું આજે જે જિંદગી જીવી રહ્યો છુ તે ભગત સિંહ, સુખદેવ, રાજગુરુની પ્રેરણાથી મારો પરિવાર આગળ વધારી રહ્યો છું.''