પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળના 75 દિવસ પૂર્ણ થવા પર અત્યાર સુધીના તમામ કામકાજ વખાણ્યા હતા. IANS ને વડા પ્રધાન મોદીને આપેલા ઇન્ટરવ્યુમાં, તેમના બીજા કાર્યકાળની સિદ્ધિઓની ગણાવતા કહ્યું કે, સરકાર 'સ્પષ્ટ નીતિ, સાચી દિશા' નું પાલન કરી રહી છે અને ખેડૂતથી લઈને કાશ્મીર સુધીના દરેક માટે કામ કરવામાં આવ્યું છે.
370 કલમ હટાવાયા બાદનો પ્રથમ ઇન્ટરવ્યુ
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ કર્યા પછી અને વિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમે અત્યાર સુધી જે પ્રાપ્ત કર્યું છે તે 'સ્પષ્ટ નીતિ, સાચી દિશા' નું પરિણામ છે.
ઉલ્લેખનીય છે કે, પોતાની સરકારના બીજા કાર્યકાળના 75માં દિવસે IANS સાથ હસતા-હસતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ વિવાદીત અનુચ્છેદન 370 અને અનુચ્છેદન 35A જે વ્યવસ્થિત અને સફળતાપૂર્વક હટાવી. આ નિર્ણયથી પાકિસ્તાન પણ સ્તબ્ધ થઇ ગયું.
માત્ર 75 દિવસના અંતે રજૂ કર્યું સરકારનું રિપોર્ટ કાર્ડ
સામાન્ય રીતે, દરેક સરકાર પોતાના શાસનના પ્રથમ 100 દિવસ પૂર્ણ કર્યા બાદ પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કરે છે, પરંતુ આ વખતે વડા પ્રધાન મોદીએ પોતાનું રિપોર્ટ કાર્ડ ફક્ત 75 દિવસમાં રજૂ કર્યું.
IANS પોતાના વાતની શરૂ કરી કે, તેની બીજી ટર્મ કેવી રીતે અલગ છે? પ્રધાનમંત્રી મોદીએ સરળ જવાબ આપ્યો, 'અમે અમારી સરકાર બન્યાના થોડા જ દિવસોમાં અભૂતપૂર્વ રફ્તાર નક્કી કરી દીધી. જે પ્રાપ્ત કર્યું છે તે 'સ્પષ્ટ નીતિ, યોગ્ય દિશા' નું પરિણામ છે.
સંસદમાં બહુમતિના કારણે થઇ શક્યુ કામ: પ્રધાનમંત્રી
તેમણે વધુમાં કહ્યું કે અમે પાણી ઘટમાં સુધારો લાવવા અને જળસંચયને પ્રોત્સાહન આપવાના સંકલિત અભિગમથી અને એક મિશન મોડના કારણે જળશક્તિ મંત્રાલયનું નિર્માણની સાથે અમારા સમયના જરૂરી મુદ્દાને ઉકેલવાની સાથે જ શરૂઆત કરી.