PM મોદીએ ગુરુવારે ઉત્તરપ્રદેશમાં "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના"ના લાભાર્થીઓ સાથે વાત કરી. PM મોદીએ વર્ચ્યુઅલી આ લાભાર્થીઓ સાથે વાત કરી હતી, સાથે જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
"પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના"ના લાભાર્થીઓ સાથે વાત કરી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીથી આ કાર્યક્રમમાં ભાગ લીધો
5 ઓગસ્ટની તારીખને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીથી આ કાર્યક્રમમાં ભાગ લીધો
PM મોદીએ ગુરુવારે ઉત્તરપ્રદેશમાં "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના"ના લાભાર્થીઓ સાથે વાત કરી. PM મોદીએ વર્ચ્યુઅલી આ લાભાર્થીઓ સાથે વાત કરી હતી, સાથે જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. PM મોદીએ આ સમયે વિપક્ષ પર નિશાન સાધ્યું અને કહ્યું કે દેશ હાલ કીર્તિઓ હાંસિલ કરી રહ્યું છે અને વિપક્ષ સંસદને ઠપ કરી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે નવા ભારતમાં આગળ વધવાનો માર્ગ પરિવાર નહીં પણ મહેનતથી નક્કી થશે.
"પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના"ના લાભાર્થીઓ સાથે વાત કરી
PM મોદીએ કહ્યું કે દિલ્હીથી અનાજ મોકલવામાં આવ્યું છે તેનો એક એક દાણો ગરીબોને મળ્યો છે. પહેલાની સરકારમાં અનાજની લૂંટ થતી હતી, પણ હવે એવું નથી થઈ રહ્યું. PM મોદીએ કહ્યું કે ઓગસ્ટ મહિનાની શરૂઆત જ ઘણી બધી ઉપલબ્ધીઓ લઈને આવી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ઇતિહાસમાં 5 ઓગસ્ટની તારીખને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી 370 ની કલમ હટાવવામાં આવી હતી. ગયા વર્ષે આ જ તારીખે રામ મંદિરના નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી અને આજના દિવસે જ હોકીમાં ભારતીય ટીમના 4 દશક પછી મેડલ મળ્યો હતો.
5 ઓગસ્ટની તારીખને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે
PM મોદીએ કહ્યું કે દેશનો યુવા રમતમાં ગોલ પર ગોલ કરી રહ્યા છે, પણ કેટલાક લોકો રાજનૈતિક સેલ્ફ ગોલ કરવામાં લાગ્યા છે. દેશની સંસદમાં વિપક્ષ સતત હંગામો કરી રહ્યું છે અને દેશની ભાવનાઓનું અપમાન કરી રહ્યા છે. વિપક્ષ માત્રને માત્ર દેશહિતના કામ રોકવામાં લાગ્યું છે. દેશની જનતા આ ક્યારેય નહીં ભૂલે. PM મોદીએ કહ્યું કે ઓગસ્ટ મહિનાની શરૂઆત જ ઘણી બધી ઉપલબ્ધીઓ લઈને આવી છે. વેકસીનેશનનો આંકડો 50 કરોડ સુધી પહોંચી ગયો છે. GST નું કલેક્શન વધ્યું છે. આ સાથે જ દેશનું પહેલું MADE IN INDIA અંતર્ગત INS વિક્રાંતે પોતાનો ટ્રાયલ કરી દેવામાં છે.