આમ તો નોટબંધીને મોદી સરકાર બ્લેકમની વિરૂદ્ધ મોટા નિર્ણય જણાવી રહી છે પરંતુ આ ચુકાદાને કારણથી બેરોજગારીમાં જબરદસ્ત વધારો થયો છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO)નાં લેટેસ્ટ આંકડાઓ અનુસાર દેશમાં બેરોજગારીનાં દર 6.1 ટકા છે. આ આંકડો 45 વર્ષોનાં ઉચ્ચતમ સ્તર પર છે. આ પૂર્વે 1972.73માં દેશમાં બેરોજગારીનો દર 6 ટકાથી વધુ હતો. મહત્વની વાત એ છે કે આ આંકડા નોટબંધી બાદનાં છે.
શહેરી ક્ષેત્રમાં સૌથી વધુ બેરોજગારઃ
રિપોર્ટ મુજબ ગ્રામીણ વિસ્તારોનાં મુકાબલે શહેરી વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. આંકડા મુજબ શહેરી ક્ષેત્રમાં બેરોજગારીનો દર 7.8 ટકા છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો આંકડો 5.3 ટકા છે. તો વર્ષ 2017-18માં યુવાનોની રોજગારી દરમાં રેકોર્ડ વધારો થયો છે. આ દરમ્યાન ગ્રામીણ વિસ્તારમાં શિક્ષીત મહિલાઓની બેરોજગારી દર વધીને 17.3 ટકાએ પહોંચ્યો છે.
આ પહેલાં 2004-05થી 2011-12ની વચ્ચે ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓની બેરોજગારી દર 9.7 ટકાથી 15.2 ટકાની વચ્ચે હતી. સાથે ગ્રામીણ ક્ષેત્રનાં શિક્ષિત પુરૂષોની બેરોજગારી દરનો આંકડો 10.5 ટકા પર છે. તમને જણાવી દઇએ કે 2004-05થી 2011-12ની વચ્ચે આ આંકડો 3.5થી 4.4 ટકાની વચ્ચે હતો.
ગ્રામીણ વિસ્તારમાં બેરોજગાર યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. ગ્રામીણ ક્ષેત્રમાં 29 વર્ષ સુધીનાં યુવાનોનો બેરોજગારી દર 17.4 ટકા રહ્યો છે. મળતી માહિતી મુજબ નોટબંધી બાદ આ સ્થિતિમાં વધારો થયો છે. આ રિપોર્ટને સરકારને ગત વર્ષે ડિસેમ્બરમાં સોંપી દેવાયો હતો. જો કે સરકાર તરફથી આ આંકડાઓ જાહેર ન હોતાં કરવામાં આવ્યાં. તો બીજી બાજુ આંકડાઓ જાહેર ન કરતાં રાષ્ટ્રીય સાંખ્યિકીય આયોગનાં બે સભ્યોએ પણ રાજીનામું આપી દીધું છે.
નોટબંધી બાદ હાલત બની કફોડીઃ
બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર નોટબંધી બાદ હાલત બગડી ગયા અને બેરોજગારીમાં દિન-પ્રતિદિન વધારો થયો છે. તમને જણાવી દઇએ કે 2016નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી.
આ એલાન બાદ 500 અને 1000 રૂપિયાની નોટો ગેરકાયદેસર થઇ ગઇ. નોટબંધીને સરકાર કઠોર પરંતુ સફળ નિર્ણય જણાવી રહી છે. આ રિપોર્ટનો ખુલાસો અંતરિમ બજેટથી માત્ર એક દિવસ પહેલાં થયેલ છે. નોકરીનાં મોર્ચા પર વિપક્ષનાં નિશાન પર રહેલ મોદી સરકારને માટે આ આંકડાઓ મુશ્કેલીમાં વધારો કરી શકે છે. આગામી કેટલાંક મહીનાઓમાં જ લોકસભા ચૂંટણી પણ યોજાવા જઇ રહેલ છે.