શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે પોતાની પહેલી સત્તાવાર વિદેશી યાત્રાના ભાગ રૂપે ભારત મુલાકાતે છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરી, જેમા આંતકવાદથી લઇને વ્યાપાર સહિત તમામ મુદ્દા પર ચર્ચા કરી. પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત દરેક રૂપે આંતકવાદનો વિરોધ કરે છે અને તેની વિરુદ્ધ અમારી લડાઇ ચાલુ રહેશે. આ લડાઇમાં ભારત શ્રીલંકાનો સાથ આપતો રહેશે.
ભારત-શ્રીલંકાના પ્રમુખો વચ્ચે દ્વિપક્ષીય વાર્તા
પીએમ મોદીએ આતંકવાદ વિરુદ્ધ કહી મોટી વાત
આંતક વિરુદ્ધ લડાઇમાં શ્રીલંકાની સાથે ભારત
બંને દેશોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિએ મોટુ એલાન કર્યું છે, ભારતની જેટલી પણ બોટ શ્રીલંકાની કસ્ટડીમાં છે. હવે શ્રીલંકા એ તમામ બોટને મુક્ત કરશે. નોંધનીય છે કે, ભારત-શ્રીલંકા વચ્ચે માછીમારોનો મુદ્દો ઘણો જુનો છે. ઘણીવાર માછીમારો રસ્તો ભટકી જતા સમુદ્રી સીમા પાર કરી દેતા હોય છે. જેના કારણે સમસ્યા ઉભી થાય છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચૂંટણીમાં નિર્ણાયક જીત માટે હું રાષ્ટ્રપતિ (શ્રીલંકા)ને શુભકામના પાઠવું છું. શ્રીલંકામાં મજબુત લોકશાહી અને પરિપક્વતા ગર્વનો વિષય છે. અમારા માટે સન્માનની વાત છે કે રાષ્ટ્રપતિ રાજપક્ષે પહેલી વિદેશી યાત્રા માટે ભારત પર પસંદગી ઉતારી, આ ભારત-શ્રીલંકાની મિત્રતાનો પૂરાવો છે.
चुनाव में निर्णायक जीत के लिए मैं राष्ट्रपति गोठाभय राजपक्ष को हार्दिक बधाई देता हूं। चुनाव प्रक्रिया सुचारु रूप से संपन्न हुई, इसके लिए मैं श्रीलंका की जनता को बधाई देता हूँ। श्रीलंका में लोकतंत्र की मजबूती और परिपक्वता बहुत गर्व और खुशी का विषय है: PM @narendramodipic.twitter.com/SpaTrgVOLU
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન કહ્યું કે અમારી સરકાર 'પાડોશી પ્રથમ' નીતિ હેઠળ શ્રીલંકા સાથે સંબંધોને પ્રાથમિકતા આપે છે. આજે રાષ્ટ્રપતિ અને મારા વચ્ચે દ્વપક્ષિય અને આંતરરાષ્ટ્રીય મામલા પર ચર્ચા થઇ. અમે નિર્ણય લીધો છે કે બંને દેશો વચ્ચે બહુભાષી ભાગીદારીને મળીને મજબૂત કરીશું.
તેઓએ કહ્યું કે, ભારતનો સહયોગ શ્રીલંકાના લોકોની પ્રાથમિકતાના આધારે હશે. વડાપ્રધાન મોદીએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે શ્રીલંકાની અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે 2865 કરોડ રૂપિયા (400 મિલિયન ડોલર) ની લાઇન ઓફ ક્રેડિટ આપવામાં આવશે. સોલર પ્રોજેક્ટ માટે જાહેર 100 મિલિયન ડૉલર લાઇન ઓફ ક્રેડિટ પર આગળ વધીશું.
ભારત-શ્રીલંકાએ આતંકવાદની નિંદા કરી
ભારત-શ્રીલંકાએ પોતાના સંયુક્ત નિવેદનમાં આતંકવાદની નિંદા કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતે હંમેશા દરેક રૂપે આતંકવાદનો વિરોધ કર્યો છે. સીમા પાર આતંકવાદ સહિત અન્ય પ્રકારના આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાયને કાર્યવાહીની અપીલ કરી છે. આ વર્ષે ઇસ્ટરના અવસરે શ્રીલંકામાં આતંકવાદીઓએ માનવજાતિની વિરાસત પર હુમલો કર્યો, આતંક વિરુદ્ધ લડાઇમાં ભારત શ્રીલંકાની સાથે ઉભુ છે.