જી-7 સમ્મેલનમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. 2019ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પીએ મોદીએ પહેલીવાર પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે 75 દિવસમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે.
અનુચ્છેદ 370 પર પીએમ મોદીનું મોટું નિવેદન
પીએમ મોદીએ કહ્યું કે હવે દેશમાં ટેમ્પરરીની કોઇ જગ્યા નથી. ગાંધી અને બુદ્ધના દેશમાં ટેમ્પરરીને નીકાળવામાં 70 વર્ષ નીકળી ગયા. મને સમજાતુ નથી કે હંસવાનું છે કે રોવાનું. અહીં સ્પષ્ટ છે કે પીએમ મોદીનો ઇશારો અનુચ્છેદ 370 લઇને હતો.
અમે ગોલ પૂર્ણ કર્યો
પેરિસમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અહીં ફુટબોલને પસંદ કરવામાં આવે છે. તેથી ગોલનું મહત્વ વધે છે. મે પણ મારી સરકાર માટે કેટલાક ગોલ નક્કી કર્યા છે. જેને અમારે પૂર્ણ કરવાના છે. પીએમ મોદી કહ્યું કે દુનિયા 2030 સુધી ટીબી ખતમ કરશે. પરંતુ ભારત તેને 2025 સુધીમાં જ ખતમ કરી દેશે. આ ઉપરાંત પેરિસ સમજુતીને લઇને ક્લાઇમેટ ચેન્જ પર ભારતના યોગદાનને બતાવ્યું.
સરકારે ત્રણ તલાક વિરુદ્ધ લીધો એક્શન
પેરિસમાં મોદીએ કહ્યું કે અમે દેશની ઘણા કુ રીવાજોને રેડ કાર્ડ આપ્યું છે. ભ્રષ્ટાચાર પર કાર્યવાહી થઇ રહી છે. અમે એ જગ્યાએ જઈએ છીએ જ્યાં યોગ્ય જગ્યા હોય છે. પીએમ મોદીએ કહ્યું કે નવા ભારતમાં ભ્રષ્ટાચાર, ભાઇ-ભતીજાવાદ, પરિવારવાદ પર એક્શ લેવાઇ રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકારે ત્રણ તલાકને ખતમ કર્યો. નવા ભારતમાં રોકાવાનો સવાલ નથી. અમારી સરકારને હજુ 75 દિવસ જ થયા છે. મુસ્લિમ બહેન અને દિકરીઓ સાથે પહેલા દેશમાં ત્રણ તલાક જેવી કુપ્રથા હતી. પરંતુ આ કુપ્રથા ખતમ કરી દેવાઈ અને મહિલાઓને સમાનતાનો હક આપ્યો.
2019માં લોકસભા ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદી પહેલી વાર પ્રવાસી ભારતીયોને સંબોધિત કરી રહ્યા છે.
પોતાની વિદેશ યાત્રા પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ પ્રવાસથી ભારતના 3 રાષ્ટ્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે ફ્રાન્સમાં રહેતા ભારતીય સમુદાયના લોકો હાથમાં ત્રિરંગો લઇને પહોંચ્યા હતા.
પીએમ મોદીનું સ્વાગત
વડાપ્રધાન નરેદ્ર મોદી યુનેસ્કોના મુખ્યાલય પહોંચ્યા. અહીં એમનું સ્વાગત કરાયું. એમની સાથે યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ ઓડ્રી આગ્રે પણ હાજર છે. અહીં એક કાર્યક્રમને પીએમ મોદીએ સંબોધિત કરી રહ્યા છે. ભારતીયો ને સંબોધિત કરતા પહેલા પીએમ મોદી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના વડાપ્રધાન એડવર્ડ ફિલિપ સાથે મુલાકાત કરી. બંને દેશોના નેતાઓ વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત થઇ.
Paris: Prime Minister Narendra Modi arrives at UNESCO office, meets Director-General of UNESCO,Audrey Azoulay pic.twitter.com/iGLZuFisHE
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે જ ફ્રાન્સ પહોંચ્યા હતા. જ્યાં એમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોની મુલાકાત કરી હતી. આતંકવાદ વિરુદ્ધ લડાઇમાં ફ્રાન્સ ભારત સાથે આવ્યું છે અને ફ્રાન્સે જમ્મૂ કાશ્મીર મુદ્દા પર મોટો સંદેશ આપ્યો છે. ફ્રાન્સનું કહેવું છે કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે. એવામાં કોઇ ત્રીજો દેશ તેમા દખલ ના આપે.
પીએમ મોદી 23થી 24 ઑગષ્ટ સંયુક્ત અરબ અમીરાત (UAE) જશે. અહીં તેઓ અબુ ધાબીનાં ક્રાઉન પ્રિંસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરશે. UAE ભારતનું ત્રીજુ સૌથી મોટુ ટ્રેડ પાર્ટનર છે અને ચોથો સૌથી મોટું કાચા તેલનું આયાતકાર છે.