ગાંધીનગર: ગુજરાતને નવા 6 પાસપોર્ટ સેવા કેન્દ્ર મળવા જઇ રહ્યા છે. નરેન્દ્ર મોદી સરકારે ગુજરાત રાજ્યને ભેટ આપી છે. આ બાબતે વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરે માહિતી આપી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમા નવા 6 પાસપોર્ટ કેન્દ્ર ખોલવાની કેન્દ્રીય મંત્રી એમ.જે.એકબરે જાહેરાત કરી છે. અમરેલી ગાંધીનગર પાટણ બારડોલી સાબરકાંઠા સુરેન્દ્રનગરમાં પાસપોર્ટ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.
આ સાથે રાજ્યમાં કુલ 25 પાસપોર્ટ સેવા કેન્દ્રો થતા વિદેશ જવા માંગતા ગુજરાતીઓ અને બિન નિવાસી ગુજરાતી ભારતીયો ને સુવિધા મળતી થશે. વિદેશ રાજ્ય મંત્રી એમ જે અકબર ની ઉપસ્થિતી માં ગાંધીનગરમાં યોજાયેલી બેઠક બાદ બિન નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદીપ સિંહ જાડેજા એ આ વિગતો આપી હતી.
વિશ્વભરમાં વસતા ભારતીયોને જે તે રાષ્ટ્રમાં થતી સમસ્યાઓ અને નોકરી વગેરે બાબતોના પ્રશ્નો સંદર્ભમાં આઉટ રિચ પ્રોગ્રામ અન્વયે ભારત સરકાર દ્વારા દેશના રાજ્યોમાં આ પ્રકારની બેઠકો યોજવામાં આવે છે. તે અંતર્ગત આજે ગુજરાતમાં બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.