નરેન્દ્ર મોદી ફરી એક વખત સત્તા પર આવી ચૂક્યા છે અને બીજી વખત સરકાર બનાવતા જ મોદી સરકાર-2એ પોતાનો પ્રથમ નિર્ણય શહિદોના સંતાનોને લઇને લીધો હતો. ત્યારબાદ તુરંત ખેડૂતોને લઇને બીજો નિર્ણય લીધો છે.
દેશના 15 કરોડ ખેડૂતોને વાર્ષિક રૂ.6000ની મળશે સહાય
મોદી સરકારની પહેલી કેબિનેટ મળતાની સાથે જ એકબાદ એક મોટા નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર-2ની પ્રથમ કેબિનેટમાં ખેડૂતો, શહિદો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. દેશના તમામ ખેડૂતોને કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ લાભ મળશે. તમામ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવશે. પહેલા આ યોજના હેઠળ નાના ખેડૂતો જેમની પાસે 5 એકર જમીન અથવા તેનાથી ઓછી છે તેમને લાભ મળતો હતો. અગાઉ 12 કરોડ ખેડૂતોને લાભ મળતો હતો તે હવે 15 કરોડ ખેડૂતોને મળશે.
શહીદોના બાળકોને અપાતી શિષ્યવૃત્તિમાં કરાયો વધારો
મોદી સરકારની બીજી પાળીની શરૂઆતમાં જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહીદોની વિધવાના પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે. શહીદોના બાળકોની શિષ્યવૃત્તિમાં પણ રૂપિયા 500નો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને રૂપિયા બે હજારની શિષ્યવૃત્તિ મળતી હતી.
Our Government’s first decision dedicated to those who protect India!
Major changes approved in PM’s Scholarship Scheme under the National Defence Fund including enhanced scholarships for wards of police personnel martyred in terror or Maoist attacks. https://t.co/Vm90BD77hmpic.twitter.com/iXhFNlBCIc
હવે આ વિદ્યાર્થીઓને રૂપિયા 2500ની શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓની શિષ્યવૃત્તિ રૂપિયા 2250થી વધારીને રૂપિયા 3000 કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ શહીદ પરિવારના બાળકોને દર મહિને આપવામાં આવે છે. ત્યારે શિષ્યવૃત્તિમાં વધારો કરીને જ મોદી સરકારે પોતાના કામની શુભ શરૂઆત કરી છે.